મોરબીમાં ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા આગામી શનિવારનાં રોજ ‘કાવ્ય કળશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખો યુવા દિલોની ધડકન એવા વિશ્વ વિખ્યાત કવિ કુમાર વિશ્વાસની ખાસ ઉપસ્થિત રહેશે.
આગામી તા.૧૧ને શનિવારના રોજ મોરબીના સન સિટી ગ્રાઉન્ડ (હનુમાન ચાલીસા કથા ગ્રાઉન્ડ) રવાપર-નડા રોડ, ખાતે ‘કાવ્ય કળશ’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કવિ ડો.કુમાર વિશ્વાસ, અમિત શર્મા, કવિ ચેતન ચર્ચીત, કવિ સુમન સુબે, કવિ સુદીપ ભોલા, તેમજ કવિ જાની બજરંગી સહીતના સાહિત્યકારો પણ કલાના કામણ પાથરશે. ત્યારે આ કાર્યક્રમને લઇ મોરબીની જનતામાં પણ ખૂબજ ઉત્સાહ જેવા મળી રહ્યો છે. તેમજ કવિ કુમાર વિશ્વાસને રૂબરૂ સાંભળવા સાહિત્ય રસીકોમાં પણ આતુરતા જોવા મળી રહી છે. ત્યારે હાલ મોરબી ઉમિયા નવરાત્રી મહોત્સવની ટીમ દ્વારા આ કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોરબીની જનતા પણ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહેવા ઉમિયા નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી ખાતે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ શિવ મંદિરો હરહર મહાદેવનાં નાદ ગુંજી ઉઠ્યા હતા અને બહોળી સંખ્યામાં શિવભક્તો પુજન અર્ચન કરવા ઉમટી પડ્યા હતા સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું વિશેષ પૂજા દુગ્ધાભિષેક મહા આરતી દીપમાળા રોશની અને વિશેષ શણગાર અને ચાર પ્રહારની પૂજા આરતી સાથે...
મોરબીના ઉમિયા સર્કલ અને અવની ચોકડી વચ્ચે કેનાલ રોડ પશ્ચિમ દિશામાં ભક્તિ નિકેતન ,૧,૨,૩, અવની, રાધા કિશન, ધર્મશુભ સોસાયટી આવેલી છે. જેમાં તાજેતરમાં કલેકટર દ્વારા કેનાલના બન્ને સાઈડના રોડને વનવે જાહેર કરવામાં આવેલ છે, જેના કારણે પશ્ચિમ દીશામાં ટ્રાફિક ઘણો વધી ગયો છે. અને વાહનો વનવે ના કારણે પુરપાટ...
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ખાતે આજે ભારત સરકારના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS)ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી સુમિતકુમાર તથા પંકજકુમાર સર અને અન્ય જીએસટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ટેક્સપેયર્સ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ...