મોરબી: “રક્તદાન એટલે કોઈના જીવન બાગને ખીલાવતી વર્ષાઋતુ” એક માનવીની રકતની જરૂરિયાત બીજો માનવી જ પુરી પાડી શકે વિશ્વના સમગ્ર જીવનની એકતાનું પ્રતિક માનવ રકત છે. પ્રત્યેક શરીરમાં ધબકતું રકત તો એક સહિયારી મૂડી છે. આ મૂડી નો સદ્ઉપયોગ એટલે સ્વૈચ્છિક રકતદાન.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાના નિવાસ સ્થાન ખાતે તા.01-04-2023ને શનિવાર ના રોજ સવારે 09-૦૦ થી 01-00 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાયો હતો. Always Ceratech ગ્રુપ મોરબી તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પમાં 126 બોટલ એકત્ર કરવામાં આવી હતી. Always Ceratech ગ્રુપ તરફ થી રાજુભાઇના હસ્તે રક્તદાતા ને ગિફ્ટ પણ આપવામાં આવી હતી આ રક્તદાન કેમ્પના સૌજન્ય સંસ્કાર બ્લડ બેંક મોરબી તથા સીવીલ હોસ્પિટલ મોરબી હતા.
માળીયા મીંયાણામા પોતાના પિયર કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણા માલાણી શેરીમાં રહેતા મુસ્કાનબેન આસ્વાદભાઈ જામ (ઉ.વ.૨૨) નામની મહિલાએ કોઈ પણ કારણસર પોતાના પીયર હાજીભાઈના ઘરે ગળાફાંસો ખાઇ જતા મુસ્કાનબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા મીંયાણા પોલીસે મૃત્યુ...
મોરબીના સામાકાંઠે આવેલ બોધ્ધનગર શેરી નં -૪ મા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ બોધ્ધનગર શેરી નં -૪ મા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો કેશુભાઇ...