દેશ ભરમાં ચૈત્રી નવરાત્રી નેં લઇ ને માતાજી ની ની ભક્તિ અને આરાધના કરવા માં આવી રહી છે ત્યારે મોરબીના નાની બજાર નજીક આવેલ ઘંટીયાપા શેરીમાં આવેલ અંબિકા આશ્રમ ખાતેથી રામનવમી નિમિતે માતાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
બે વર્ષથી કોરોના મહામારીને પગલે માતાજીની રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી જોકે હવે કોરોના ખતરો ટળી જતા રામનવમી નિમિતે માં અંબેની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી અંબિકા આશ્રમ મંદિર ખાતેથી જય અંબેના નાદ સાથે ભવ્ય રથયાત્રા શરુ કરવામાં આવી હતી જે રથયાત્રા શહેરના દરબારગઢ, ગ્રીન ચોક, નહેરુ ગેઇટ ચોક અને જેલ રોડ સહિતના વિસ્તારોમાં ફરી હતી અને મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી
રથયાત્રામાં વિસ્તારના રહીશો અને માં અંબેના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા ડીજેના તાલે બહેનો અને યુવાનોએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી અને જય અંબેના નાદ સાથે રથયાત્રા યોજાઈ હતી મોટી સંખ્યામાં લોકોએ માતાજીના રથના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી
જે રથયાત્રાને સફળ બનાવવા અંબિકા આશ્રમ મંદિરના કાર્યકર્તા દુલાભાઈ ત્રિવેદી, મુકેશભાઈ દવે, ભરતભાઈ ભટ્ટ, હર્ષદભાઈ સોની, દિનેશભાઈ સોની, ગીરીશભાઈ સોની તેમજ ગૌરવ પાટડીયા, સમીર પાટડીયા અને નિકુંજભાઈ પટ્ટણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી
મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલ હોલીસ વિટ્રીફાઇડ કારખાનાના ગેટ પાસે કોઈ અજાણ્યા ચોર ઈસમે ટ્રકની ટાંકીમાંથી આશરે ૧૪૦ લીટર ડીઝલ જેની કિંમત રૂપિયા ૧૩૦૦૦ નું ડીઝલ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજસ્થાન રહેતા અને ડ્રાઈવીંગ કરતા જીતેન્દ્રસિંગ લાદુસિંગ રાજપૂત (ઉ.વ.૪૮)...
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...