મોરબીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં ચેટીચાંદ નિમિત્તે તારીખ 2 /4 /2022 ના રોજ સિંધુભવન સ્ટેશન રોડ ખાતે જુલેલાલ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે 8 કલાકે ધ્વજારોહણ 11:00 આરતી 12:30 કલાકે મહાપ્રસાદ સાંજે 04:30 એ શોભાયાત્રા અને રાત્રે 7:30 એ નેહરુ નગર ગેટ પાસે સંધ્યા આરતી સહિતના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે તો આ તકે સર્વે સિંધી સમાજના ભાઈઓને બહોળી સંખ્યામાં ચેટીચાંદના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઝુલેલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
મોરબી ઉધોગની નગરી તરીકે સુખ્યાત છે. મોરબીને કલા-સાહિત્યકારથી સમૃદ્ધ છે. એમાં એક સાહિત્ય સર્જક-વિવેચક-સંશોધક-સંપાદક તરીકે ડૉ. ભાવેશ જેતપરિયાનું નામ અને કામ સુવિદિત છે. તેઓએ ૩૫ વરસ અધ્યાપક તરીકે ઉત્તમ સેવા આપી છે. હાલ નિવૃતિમાં પ્રવૃત્તના ભાગરૂપે લેખ અને ગ્રંથ લખે છે.
રવિ-ભાણ સંપ્રદાયના હસ્તપ્રતોમાં રહેલ સંતકવિ જીવા ભગતના સંતસાહિત્ય પર...