મોરબી: મોરબીમાં જુના બસ સ્ટેશને લાંબા રૂટની તેમજ ગ્રામ્ય વિસ્તારની બસો આવતી હોય છે. તેમજ દરેક રૂટની બસ મોરબી જુના બસ સ્ટેશને આવતી હોય છતા પણ મોરબી જુના બસ સ્ટેશને ઘણા સમયથી રિઝર્વેશન બારી બંધ છે જેથી તાત્કાલિક આ બારીને શરૂ કરવાની પી.પી. જોશી દ્વારા એસટી વિભાગને રજુઆત કરી છે.
મોરબી જીલ્લો બન્યો એને ઘણો સમય વિતી ગયો છે તેમ છતાં એસટી, રેલ્વે તેમજ અન્ય વિભાગ લોકોને સારી સેવા આપવામાં સફળ થયા નથી. જ્યારે મોરબીના જૂના બસ સ્ટેશન ખાતે રિઝર્વેશન બારી બંધ છે જેની અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી શરૂ થઈ નથી ત્યારે વધુ એક વખત મોરબીમાં રહેતા જાગૃત નાગરિક દ્વારા આ બાબતે એસટી વિભાગને રજુઆત કરવામાં આવી છે. ત્યારે બસમાં મુસાફર મોંઘાદાટ ભાડા ખર્ચ કરીને નવા બસ સ્ટેશન ખાતે રિઝર્વેશન કરવા માટે જવુ પડે છે. તેથી જ જો જુના બસ સ્ટેશને કંટ્રોલ પોઇન્ટ ચાલુ છે અને સાથે જો રિઝર્વેશન બારી શરૂ કરવામાં આવે તો લોકોને ઘણો ફાયદો થાય તેમ છે. તેમજ જુના બસ સ્ટેશન ખાતે ગંદકીના ઢગલા દુર કરવા પણ જરૂરી છે. જેથી મોરબી શહેરમાં રહેતા જાગૃત નાગરિક પી.પી. જોશી દ્વારા વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તે માટે પ્રજા વતી એસટી વિભાગને રજુઆત કરવામાં આવેલ છે.
મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા અને હરેશભાઈ બોપલિયા દ્વારા સંસદભવન - દિલ્હી ખાતે જીએસટીમાં ઘટાડો કરવા બાબતે નાણામંત્રી નિર્મલા સિતારમનને રજૂઆત કરવામાં આવી છે.
જેમાં ટાઇલ્સના વેચાણ પર લાગતા ૧૮ ટકા જીએસટી માંથી ૦૫ ટકા કરવા બાબતે સાંસદ પરસોત્તમ રુપાલાએ દ્વારા પણ નાણામંત્રી નિર્મલાબેન સિતારમને રજુઆત કરવામાં આવી છે...
મોરબીમાં એમ.એસ. દોશી હાઈસ્કુલ ખાતે આજે ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહ અંતર્ગત ‘બેટી બચાવો - બેટી પઢાવો દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દીકરીઓના હિત અને સશક્તિકરણ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું.
દીકરીઓના અધિકારો, શિક્ષણ અને સશક્તિકરણ, મહિલા કલ્યાણ અને સશક્તિકરણ માટેની વિવિધ યોજનાઓ, કિશોરીઓને પોક્સો એક્ટ તથા ગુડ...