દીકરા-દીકરીના ભેદભાવ રહિત સમાજના નિર્માણ માટે સિગ્નેચર બોર્ડ પર હસ્તાક્ષર કરી સંકલ્પબદ્ધ થયા.
મોરબી: મોરબી ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કિશોરીઓને તેમના હક જેવા કે, શિક્ષણ, સશક્તિકરણ, પોષણ, સ્વાસ્થ્ય, દીકરા અને દીકરીના ભેદભાવ રહિત સમાજની સ્થાપના કરીશું જેવા મત અંતર્ગત વિવિધ અધિકારીઓ અને કિશોરીઓએ શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા એક સિગ્નેચર બોર્ડ પણ મુકવામાં આવ્યું હતું. જેના પર અધિકારીઓ/કર્મચારી સહિતના ઉપસ્થિતોએ હસ્તાક્ષર કર્યા હતા.
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...