મોરબી: રકતદાન એટલે કોઈના જીવન બાગને ખીલવતી વર્ષાૠતુ ત્યારે મોરબીમાં સાયન્ટિફિક ક્લોક પરિવાર દ્વારા શુક્રવારે દિવંગત નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રીના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર અર્જુન જયેશભાઈ મિસ્ત્રી Mo : 9825755555ના સૌજન્યથી મોરબીમાં આગામી તારીખ 03-03-2023ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સાયન્ટીફીકની વાડી, વજેપર, આલાપ રોડ ખાતે સાયન્ટિફિક ક્લોક પરિવાર દ્વારા દિવંગત નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રીના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી શહેરમાંથી ચોરી થયેલ મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી બે ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મોરબી શ્રધ્ધાપાર્ક પાસે અમરેલી રોડ પર એક શંકાસ્પદ ઇસમ બે અલગ અલગ કંપનીના મોટર સાઇકલ સાથે જોવામા...