મોરબી: મોરબીની ડિ.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરીમાં આગામી તા.૧૧ અને ૧૨ ના રોજ વિના મુલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મુંબઈના ડો. વિક્રમ સંઘવી સેવા આપશે.
મોરબીના નવા ડેલા રોડ ખાતે આવેલી ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરીમાં રૂપાબેન જગદીશભાઇ જવેરી તેમના સુપુત્રી નેહલબેન વિદીતભાઈ શાહના શુભ લગ્ન પ્રસંગ નિમિત્તે વિના મુલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ૧૧ને શનિવારના રોજ સાંજે ૪થી ૭ અને તા. ૧૨ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ દરમિયાન યોજાશે.
આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત ડો. વિક્રમ સંઘવી હાજરી આપશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરી પાસે અગાઉથી નોંધાવી જવા તેમજ તપાસ વખતે કેશ પેપર્સ સાથે રાખવા મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઇ વી. શાહની યાદીમાં જણાવાયું છે.
મોરબી શહેરમાં હાલ મુસ્લિમ સમાજના મોહરમ શરીફ અંતર્ગત મુસ્લિમ વિસ્તારમાં ઠેર ઠેર છબીલ તાજીયા અખાડા કમિટી દ્વારા વિવિધ ધાર્મિક કાર્ય અંતર્ગત મુસ્લિમ સમાજના નવા વર્ષ મોહરમ શરીફ નિમિત્તે પ્રથમ ચાંદ થી શરૂ છે ત્યારે એ ડીવીઝનલ પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન થી મોરબી...
મોરબી જિલ્લામાં મહિલાઓ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા તથા યોજનાકીય લાભ પ્રદાન કરવા માટે મોરબીમાં વાઘપરા, શેરી નં. ૬, સતવારા સમાજની વાડી ખાતે એક દિવસીય યોજનાકીય કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા કાર્યરત...
મોરબી - રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે વિઝન પ્લાસ્ટિક કારખાનામાં ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા તેનો પાઈપ માથામાં લાગતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબી રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે આવેલ વિઝન કારખાને રૂમમાં રહેતા અને...