મોરબીઃ મધુરમ ફાઉન્ડેશન મોરબી અને આયુર્વેદ પ્રચાર સમિતિ દ્વારા મોરબીમાં આયુર્વેદ કથાનું આયોજન આગામી તારીખ ૬ માર્ચના રોજ કરવામાં આવ્યું છે.
મોરબી ખાતે આગામી તારીખ ૬/૩/૨૦૨૩ અને સોમવારના રોજ બપોરે ૧.૩૦ થી ૫.૦૦ કલાકે પટેલ સમાજવાડી, શનાળા (મોરબી) ખાતે મધૂરમ ફાઉન્ડેશન મોરબી, તથા આયુર્વેદ પ્રચાર સંગઠન દ્વારા ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની “આયુર્વેદ કથા” નું આયોજન કરેલ છે. મોરબીના આંગણે આ સૌ પ્રથમ કથા છે. તેમજ આ આયુર્વેદ કથામાં વધુમાં વધુ બહેનો આવે તો જ આપણો હેતુ બર આવશે. તેથી આગામી તા.૦૬-૦૩-૨૦૨૩ નાં રોજ ૧.૩૦ વાગે આ કથામાં તમામ લોકોને સહકુટુંબ હાજર રહેવા ભારપૂર્વક જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીના નવલખી રોડ રણછોડનગર અમૃતપાર્ક પાછળ મફતીયાપરા વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના નવલખી રોડ રણછોડનગર અમૃતપાર્ક પાછળ મફતીયાપરા વિસ્તારમાં રેઇડ કરતા જાહેરમાં તીનપત્તીનો જુગાર...
મોરબીના વાવડી રોડ પર નાની વાવડી મેલાબાપાના મંદિર પાસે રસ્તા પરથી પ્રતિબંધિ ચાઇનીઝ દોરીના ૫૦ ફિરકા સાથે બે બાળક કિશોર સહિત એક ઇસમને મોરબી સિટી એ ડીવીઝન પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ મકરસંક્રાંતિ પર્વને લઇને પ્રતિબંધી ચાઇનીઝ...
હળવદ શહેરમાં રહેતા યુવકના અશ્લીલ વિડીયો, ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી બે શખ્સો દ્વારા રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી અને જો રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આવેલ ધાંગધ્રા દરવાજા અંદર, રાવલફળી પાસે, વજેરી વાસમા...