જુથ બંધીના લબકારા વચ્ચે પક્ષના નારાજ ચાલતા લોકોને મનામણાં માટે ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ સી.આર.પાટીલ ઓચિંતી મોરબીની મુલાકાતે
મોરબી: વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચુંટણી આડા હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે મોરબીમાં એક તો ઝુલતા પુલ જેવી દુર્ઘટના ઘટીજેથી ભાજપને ચુંટણીમાં ફટકો પડે તેમ સાથે સાથે મોરબીમાં જુથબંધી પણ જોવા મળી રહી છે જેમાં પક્ષના ઘણા લોકો નારાજ છે તેથી તેમને મનામણાં માટે આજે ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની ઓચિંતી મુલાકાત લેતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે
મોરબી-માળીયા બેઠક ઉપર ભાજપ દ્વારા કાંતિભાઇ અમૃતિયાને ટીકીટ આપતા એક જૂથ અંદરખાનેનારાજ ચાલતો હોઈ તેના લીધે ઘણા ભાજપના આગેવાનો પણ નારાજ થયા હોઈ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. સુત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ આજે ઓચિંતા ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ મોરબીની મુલાકાતે પોહચી ગયા છે લોકોના મુખે એવી ચર્ચા થઈ રહી છે મોરબીમાં ભાજપમાં જે જુથબંધીના લબકારા થઈ રહ્યા છે અને ભાજપમાં જે લોકો નારાજ છે તેમને મનાવવા માટે આવી પહોંચ્યા હોવાની લોક મુખે ચર્ચા થય રહી. સી.આર. પાટીલ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી ઓફીસીયલ જાહેરાત કરવામાં આવી ન હતી ક્યાંક કાંતિભાઇ અમૃતિયાના વાણી વિલાસના લીધે પણ સી.આર. પાટીલ આવ્યા હોવાનું લાગી રહ્યું છે. કોઈપણ પ્રકારની જાણકારી મહીતી આપ્ય વગર જ મોરબીની મુલાકાતે આવેલ છે ત્યારે આ મુલાકાત કેટલી કારગાર નિવળે છે તે જોવું રહ્યું
આજે વિશ્વ યુવા કુશળતા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલય, જોધપર (નદી) ખાતે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડીનેટર મયુર સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસના મહત્વત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજના યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું ન...
કેન્દ્ર સરકાર ધ્વારા ડિજીટલ પબ્લીક ઈન્ફાસ્ટ્રકચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજીયાત છે.
હાલમાં પી.એમ.કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલ છે. આમ મોરબી જિલ્લામાં પી.એમ.કિસાન યોજના અન્વયે ૧૯માં હપ્તાનો લાભ લેતા ૭૭,૮૯૨ માંથી...
ગુજરાત રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. ત્યારે મોરબી અને જામનગર જિલ્લાને જોડતા ટંકારા લતીપર રોડ પર ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક ફુલઝર નદી પર આવેલ માઇનર બ્રીજનું માર્ગ અને...