ધજા જોતા ધન સાંપડે દેવળ જોતા દુઃખ જાય
એવા વંદુ રાજલ માત ને તુને દંડવત લાગું પાય!
મોરબી થી વીસ કિલોમીટર દુર આવેલા ચરાડવા ગામમાં બિરાજમાન રાજ રાજેશ્વરી રાજબાઈ માતાજીનો ફાગણ સુદ બીજ પ્રાગટ્ય દિન છે ત્યારે હજારો ભાવિકો ચરાડવામાં માં રાજબાઈ નું પ્રાગટ્ય દિન ઉજવવા આવે છે અને આ પરંપરા મુજબ આ વર્ષે તારીખ ૨૧-૨-૨૦૨૩ ને મંગળવારે ફાગણ સુદ બીજના દિવસે રાજબાઈ માતાજીના મંદિરે પ્રાગટ્ય દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગલા દિવસે તારીખ ૨૦-૨ નાં બપોરે ૩-૩૦ વાગ્યે રાજબાઈ માતાજીના મંદિરેથી શોભાયાત્રા યોજાશે જે આખા ચરાડવા ગામમાં ફરશે અને રાત્રે સંતવાણી નો કાર્યક્રમ યોજાશે. તારીખ ૨૧-૨ નાં રોજ માતાજીના મંદિરમાં ધ્વજારોહણ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞના આયોજક અને યજમાન પરસોત્તમભાઈ જીવરાજભાઈ સેંધાણી (પટેલ) ઘાટકોપર મુંબઈ દ્વારા કરવામાં આવ્યું છે. પૂજારી મનસુખભારતી બાપુએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે. આ ચરાડવા ગામે આવવા માટે ભાવિકો પદયાત્રા યોજીને પહોંચે છે તે મુજબ આ વર્ષે પણ કચ્છના કટારીયા ગામેથી અને સુરેન્દ્રનગર થી પદયાત્રાનું આયોજન થયું છે.
મોરબી કચ્છ હાઈવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ સામે હાઈવે રોડ ઉપર પસાર થતા મોટા વાહન નીચે પડતું મુકતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના વતની કમલ ભોગીરામ પરમાર (ઉ.વ.૪૯) નામના આધેડે પોતાની જાતે મોરબી કચ્છ હાઈવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ સામે હાઈવે રોડ ઉપર પસાર થતા...
મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડી વિસ્તાર રાજેશભાઈની વાડીએ ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડી વિસ્તાર રાજેશભાઈની વાડીએ અમીરચંદ સીતારામ ડાવર (ઉ.વ.૩૫) નામના યુવકે કોઈ કારણસર ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...
વરસે તો ચોમાસુ પાકના ઢગલા કરતા મઘા નક્ષત્રનો આવતી કાલે મોડી રાત થી પ્રારંભ: મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે
ભારતમાં ચોમાસું નક્ષત્રોના આધારે હોય છે. આપણા શાસ્ત્રોમાં નક્ષત્રોનું અનેરું મહત્વ હોય છે. નક્ષત્રો પરથી વરસાદનો વરસાતા કાઢનારા અનેક આગાહી શાસ્ત્રો આપણા દેશમાં છે. ત્યારે...