મફતિયા પરા વિદ્યુત નગરમાં રહેતા મંગાભાઈ મકવાણા મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે
પરિવારમાં બે પુત્રો અને બે પુત્રીઓ છે આવી નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા કુટુંબમાં સાત વર્ષના પુત્ર મેરૂભાઈને મગજમાં પાણી ભરાઈ જવાની એટલે કે મગજના ટીબી ની બીમારી થતા મોરબીની આયુષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ
આ બાળકની સારવાર નો ખર્ચ દૈનિક આશરે ચારથી પાંચ હજાર જેટલો થતાં આ ગરીબ બાળ પરિવાર પર આફતના વાદળો ઘેરાઈ ગયેલ આવા જરૂરિયાત મંદ પરિવારોને મદદરૂપ થવા માટે જ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરેલ છે
પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે મજૂરી કામ કરતો આ પરિવાર આ બાબતથી અજાણ હતો અને બાળકનું આધાર કાર્ડ કઢાવેલ નહોતું પરિણામે પરિવાર મૂંઝવણમાં મુકાયેલ પરિવારની આ મૂંઝવણ મોરબી તાલુકા મામલતદાર નિખિલ મહેતાના ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક આધારકાર્ડ સુપરવાઇઝર નિરવભાઈ ખાનકી ને આયુષ હોસ્પિટલ ખાતે મોકલી હોસ્પિટલમાં દાખલ મેરૂભાઈ નું આધાર કાર્ડ કઢાવી આપેલ અને તે આધારે સરકારની આરોગ્ય યોજનાનો લાભ મેળવવા માટેની વહીવટી મર્યાદા નો ઉકેલ લાવેલ આ તકે મામલતદાર નિખિલ મહેતાએ જણાવેલ કે જરૂર પડશે ત્યારે જોઈ લઈશું તેવો બેદરકારી ભર્યો અભિગમ દાખવવાને બદલે ચેતતા નર સદા સુખી તેવો હકારાત્મક અભિગમ અપનાવી સરકારની જન સુખાકારીની નીતિઓમાં સહયોગ આપવા જાહેર જનતાને અપીલ કરેલ અને આ બાબતોમાં મોરબી તાલુકા મામલતદાર કચેરી હર હંમેશ નાગરિકોની સેવામાં તત્પર છે તેવો કોલ આપેલ
ટંકારા ઉગમણા નાકે મુખ્ય શ્મશાન સામે અમરાપર ટોળ પાણી માટે નિકળતી પાઈપલાઈન ટુટી હોઈ ત્યારે આ પાણી લિક થયું એ ખાડામાં ગૌ વંશ પણ પડી ને મુત્યુ થતા કોંગ્રેસના નેતા મહેશ રાજકોટિયા અને મોરબી જિલ્લા પંચાયત ના વિરોધપક્ષના નેતા ભુપત ગોધાણી તાત્કાલિક અધિકારીઓ સાથે સમસ્યા અંગે ચર્ચા કરી કોન્ટ્રાક્ટર...
મોરબીના રવાપર ગામના નિવાસી સવિતાબેન દેવજીભાઈ ચારોલાનુ ૯૫ વર્ષની વયે તા. ૧૮/૦૬/૨૦૨૫ ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.
સદગત બેસણું:- તારીખ ૨૦/૦૬/ ૨૦૨૫ ને શુક્રવારના રોજ બપોરે ૦૩ થી ૦૫ કલાકે ઉમા હોલ, શિવ મંદિરની સામે, રવાપર ગામ મોરબી...
મોરબી તાલુકાના શીવનગર પંચાસરમા કડીયાકામ કરતા હતા ત્યારે ઈલેક્ટ્રીક શોક લાગતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હેતાબેન નાજુભાઇ સંઘાડા (ઉ.વ.૩૫) રહે-શીવનગર પંચાસર મોરબી તા.જી.મોરબી વાળી પોતે શીવનગર પંચાસર ખાતે કડીયાકામ કરતાં હતાં તે દરમ્યાન કોઇ કારણસર ઇલેકટ્રીક શોર્ટ લાગતાં મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા...