અત્યાર સુધી ના ૧૬ કેમ્પ મા કુલ ૪૮૮૩ લોકોએ લાભ લીધો તેમજ ૨૧૮૦ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે.
જે અંતર્ગત તા.૪-૧-૨૦૨૩ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન મોરબી લોહાણા સમાજ અગ્રણી પંકજભાઈ કોટક (નવસારી વાળા) પરિવાર ના સહયોગ થી વિનામુલ્યે કેમ્પ યોજાશે.જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૧૬ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૪૮૮૩ લોકો એ લાભ લીધો હતો તેમજ ૨૧૮૦ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા.
મોરબી મહાનગરપાલિકાના જુદા જુદા હદ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર નેટવર્ક નાખવાના કામ મંજુર.
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ જુદા જુદા નીંચાણવાળા વિસ્તારો જેવા કે લાયન્સ નગર, વિશીપરા, અમરેલી વિસ્તાર, રણછોડનગર વગેર જેવા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદી પાણી ભારાવાવનો પ્રશ્નો રહે છે. ત્યાં ના લોકો ને અનેક સમસ્યાઓ ઉદભવે છે. તે...
મોરબી: પરવાનાવાળા હથિયારથી ફાયરીંગ કરી વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુડ જેવા સોશ્યલ મિડીયામાં અપલોડ કરી સમાજમાં ભય ઉભો કરનાર વિરૂધ્ધ મોરબી એસ.ઓ.જી.ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી કવામાં આવી છે.
મોરબી એસ.ઓ.જી. ટીમ સોશ્યલ મીડીયા આઈ.ડી. ranvijay.kumar.792 માં તથા ફેસબુક આઈ.ડી. Ranvijay Kumar માં રણવિજયકુમારે હથિયારથી ફાયરીંગ કરતો વિડીયો અપલોડ કરેલ હોય...
મોરબી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના માળીયા પીપળીયા સ્ટેટ હાઇવે પર (માળિયા ગામ પાસે) આવેલ પુલ પર ભારે વાહનોના પ્રતિબંધ બાબતના જાહેરનામાને રદ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટરી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આલેખન વર્તુળ દ્વારા ૧૧ ઓગસ્ટ ૨૦૨૫ ના...