મોરબી: મોરબી જીલ્લાના શોભાના ગાંઠિયા સમાન મચ્છુ-3 અને ડેમી-3 ડેમમાંથી ખેડૂતોને કેનાલ દ્વારા સિંચાઇનું પાણી મળે તે માટે ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.
મોરબી જીલ્લામાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે તે માટે મચ્છુ-૩ અને ડેમી-૩ ડેમો બનાવવામાં માં આવેલ છે. આ ડેમોનું બાંધકામ પૂર્ણ થયાને ૧૫ વર્ષ જેવો માતબર સમય થયેલ છે. છતાં પણ આજ દિન સુધી કેનાલોના કામો પૂર્ણ થયેલ નથી. તેમજ ખેડૂતોને કેનાલ દ્વારા એક પણ વખત સિંચાઈ માટેનું પાણી મળેલ નથી. તો આ ડેમો શું? શોભાના ગાંઠિયા તરીકે સાચવીને રાખવા માટે બનાવેલ છે. ખેડૂતોને કેનાલ દ્વારા પાણી આપવા માટે આ ડેમો બનાવવામાં આવેલ નથી શું? તેથી ખેડૂતો વતી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ માંગણી કરી છે અને આ ડેમોની કેનાલો તાત્કાલિક પૂર્ણ કરીને ખેડૂતોને કેનાલ દ્વારા સિંચાઈનું પાણી મળે તે માટે યોગ્ય કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.
ગયકાલે તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ NDD નેશનલ ડિવોર્મિંગ ડે રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ છે. જેમાં ૧ થી ૧૯ વયના શાળાએ જતા અને શાળાએ ન જતા તમામ બાળકોને શાળા અને આંગણવાડીમા કૃમિ નાશક દવા આપવામાં આવેલ.
તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખરેડાના સેજામા આવતા આયુષ્યમાન આરોગ્ય મંદિર જીકીયારી...
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે તારીખ ૦૮ થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન કૃષિ ટેકનોલોજી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી કુલ 457 ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલ હતો.
આ સપ્તાહ દરમિયાન અત્રેના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેના સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ...
પેટકોક દારૂની જેમ જીવન જરૂરિયાત બની ગયો હોઈ તેવો ઘાટ સર્જાયો
ભારત ની સૌથી જટિલ બે સમસ્યા એક વસ્તી વધારો અને બીજું પર્યાવરણ, મોરબીને ભૂતકાળમા કોલગેસ મા આભે તારા દેખાડી દેનાર અમુક સિરામિક વાળા હાલ ખાનગી રીતે પેટકોક નો વપરાશ કરી રહ્યા છે.
NGT ની ગાઇડલાઇન્સ મુજબ પેટકોક નું ગેરકાયદેસર હોવા...