આજરોજ મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે મોરબી જીલ્લા ઓબીસી ડિપાર્ટમેન્ટ તેમજ જીલ્લા કોંગ્રેસ ટીમ દ્વારા જાતિ આધારિત ગણના,ક્રિમિલિયર સર્ટિફિકેટ ,ઓબીસી સમાજ ને અલગ રેજીમેન્ટ અને અલગ મંત્રાલય ઉચ્ચતમ ન્યાયલયોમાં ઓબીસી ની સંખ્યા ઓછી છે તો મેરીટ ના આધારે ભરતી પ્રક્રિયા કરવામાં આવે, ઓબીસી વર્ગ ની મહિલાઓ ને અલગથી અનામત મળે, દેશમાં અડધાથી વધુ સંખ્યા ઓબીસી ની છે તો 50 % અનામત મળે ઓબીસી વર્ગ ના લોકોને કોન્ટ્રાક્ટ ને બદલે સરકારી નોકરી મળે, વિધાર્થીઓને છાત્રવૃત્તિ અને ખાનગીકરણ બંધ થાઈ જેવી વિવિધ માંગ ને લઈ મોરબી જીલ્લા કલેકટર જે.બી.પટેલ ને આવેદન આપવામાં આવ્યું
આ આવેદન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઓબીસી ચેરમેન કેપ્ટન અજયસિંગ યાદવ ના સૂચના થી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ ગુજરાત પ્રદેશ ઓબીસી ચેરમેન ઘનશ્યામ ગઢવીના સૂચન મુજબ તેમજ મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહીરની અધ્યક્ષતામાં આ આવેદન આપવામાં આવું હતું જેમાં પૂર્વે પ્રધાન મોરબી જીલ્લા પ્રભારી ડો દિનેશભાઇ પરમાર, મોરબી જીલ્લા પ્રમુખ જેન્તીભાઈ પટેલ, પૂર્વે કાર્યકારી પ્રમુખ ડો એલ એમ કંઝારીયા, પ્રદેશ મંત્રી રમેશ ભાઈ રબારી, મોરબી તાલુકા પ્રમુખ કે ડી પડસુંબિયા, મોરબી શહેર પ્રમુખ રાજુભાઇ કાવર, માળિયા શહેર પ્રમુખ ઇકબાલ ભાઈ જેડા, નાઝીર ભાઈ જેડા, રમેશભાઈ આહીર, મહેશભાઈ રાજ્યગુરુ, દેવેન્દ્ર સિંહ જાડેજા, પ્રભુભાઈ, મનસુખભાઇ, ભરતભાઇ કુંભરવાડિયા, ઘનશ્યામભાઈ કોળી, દલસુખભાઈ, લખુભા ગઢવી, જીલુભાઈ પરમાર, નિલેશભાઈ સુરેલીયા, લક્ષમણભાઈ કોળી, આહીર જીલુભાઈ ખાખરાડા, દીપકભાઈ પરમાર, ચિંતાનભાઈ રાજ્યગુરુ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
મોરબી જિલ્લામાં વાંકાનેર પાસેના મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે બનાવવામાં આવેલ પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાસ્ત્રોક્ત વિધિ કરી લોકાર્પણ કર્યું હતું.
મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવા માટે જળ સંપતિ વિભાગ...
પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને કૃત્રિમ ઉપાયોનો ઉપયોગ ટાળીને જમીનની ફળદ્રુપતા, પાણીની શુદ્ધતા અને જૈવવિવિધતાને જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીને...
ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને બાર સર્વિસ પેકેજ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ સિધ્ધિ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવતા અને પ્રભાવશીલતાનું ઉન્નત સ્તર પ્રદર્શીત કરે છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કેંદ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નેશનલ...