મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ અંતર્ગત આંબેડકર ઉપનગરની રોહીદાસ વસ્તીમાં સેવા દિનના શુભ દિવસે શિક્ષણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જે કાર્યક્રમમાં આરએસએસ અગ્રણી લલીતભાઈ ભાલોડીયા, રણછોડભાઈ કુંડારિયા તેમજ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા બાળકોમાં રાષ્ટ્રભાવના નિર્માણ થાય તેવા હેતુથી શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે શિક્ષણ કેન્દ્રમાં દેશ ભક્તિ ગીત, રમતો, ચારિત્ર નિર્માણની બાળ વાર્તાઓ, સર્જનાત્મક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.
મોરબીના લીલાપર રોડ પર સ્મશાન નજીકથી ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ હિરો હોન્ડા મોટરસાયકલ સાથે એક આરોપી મોરબી લીલાપર રોડ સ્મશાન પાસે થી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે મોટરસાયકલ...
મોરબીના ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી-૨ ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં...
મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા સંસ્કાર ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ - મોરબી શાખા દ્વારા લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તી બૌદ્ધનગર ( નજરબાગ સામે - ફિલ્ટર હાઉસ) ખાતે તારીખ 12 મેં સોમવારે ભગવાન બુદ્ધ પૂર્ણિમા નાં રોજ 15માં "ગૌતમ બુદ્ધ" બાલ સંસ્કાર કેન્દ્ર નો વિધીવત પ્રારંભ થયો.
આ...