મોરબી શહેરમાં કચરાના સ્ટેન્ડ પરથી કચરો ઉપાડવાની કામગીરીમાં બેદરકારી દાખવનાર એજન્સીને અગાઉ દંડ ફટકારી તાકીદ કરવામાં આવી હતી છતાં સ્થિતિમાં સુધારો ના થતા તાત્કાલિક ધોરણે કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો છે
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શ્રીજી એજન્સી અમદાવાદને નોટીસ ફટકારી જણાવ્યું છે કે તા ૧૮-૧૦-૨૦૨૧ થી આપની એજન્સીને મોરબી શહેરી વિસ્તારના તમામ ૧ થી ૧૩ વોર્ડમાં આવેલ તમામ વિસ્તારના નાના મોટા કચરાના ઢગલા ઉપાડવા માટેનો કોન્ટ્રાકટ આપેલ જે કામગીરીમાં બેદરકારી બદલ અને કરારની શરતોનો વારંવાર ભંગ કરતા નોટીસ આપી હતી અને કચરો ઉપાડવા તથા દવા છંટકાવની કામગીરી સુધારવા તાકીદ કરી તેમજ રૂ ૨,૦૦,૧૦૦ નો દંડ કરવામાં આવ્યો હતો બાદમાં સ્થળ પર ફરીથી રૂબરૂ નિરીક્ષણ કરતા કામગીરીમાં સુધારો માલૂમ પડ્યો નથી જેની અસર લોકોના જાહેર આરોગ્ય પર થાય છે
વધુમાં પાલિકા દ્વારા કોન્ટ્રાકટ રદ્દ કરતા પત્રમાં જણાવ્યું છે કે, મોરબી શહેરી વિસ્તારના તમામ ૧ થી ૧૩ વોર્ડમાં આવેલ તમામ વિસ્તારોના નાના-મોટા કચરાના પોઈન્ટ-ઢગલા ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલ હતો પરંતુ ઉપરોક્ત કામગીરીમાં બેદરકારી દાખવતાં વિવિધ મુદાઓ અને કરારની શરતો નં. ૫, ૯, ૧૦, ૨૯ તથા ૩૭ નો વારંવાર ભંગ કરતાં નોટીસ આપવામાં આવેલ અને નોટીસમાં નિર્દિષ્ટ જગ્યા પર કચરો ઉપાડવા તથા દવા છંટકાવની કામગીરી સુધરવા બાબત તાકીદ કરેલ અને રૂ. ૨,૦૦,૧૦૦/- નો દંડ પણ કરવામાં આવેલ.
ઉપરાંત હાલમાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૨ ની કામગીરી ચાલી રહી છે અને આ પ્રકારની બેદરકારીને કારણે લોકોનું જાહેર આરોગ્ય જોખમાઈ છે અને મોરબી નગરપાલિકાના નેશનલ રેન્ક પર અસર પડે છે જેથી કોન્ટ્રાકટની શરત નંબર ૨૩ અંતર્ગત તાત્કાલિક અસરથી કોન્ટ્રાકટ રદ કરવામાં આવે છે જેની સ્પષ્ટ નોંધ લેવા જણાવ્યું છે
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી 2025 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢૌર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.
તદુપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ...