મોરબી શહેરમાં કચરાના સ્ટેન્ડ પરથી કચરો ઉપાડવાની કામગીરીમાં બેદરકારી દાખવનાર એજન્સીને અગાઉ દંડ ફટકારી તાકીદ કરવામાં આવી હતી છતાં સ્થિતિમાં સુધારો ના થતા તાત્કાલિક ધોરણે કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો છે
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શ્રીજી એજન્સી અમદાવાદને નોટીસ ફટકારી જણાવ્યું છે કે તા ૧૮-૧૦-૨૦૨૧ થી આપની એજન્સીને મોરબી શહેરી વિસ્તારના તમામ ૧ થી ૧૩ વોર્ડમાં આવેલ તમામ વિસ્તારના નાના મોટા કચરાના ઢગલા ઉપાડવા માટેનો કોન્ટ્રાકટ આપેલ જે કામગીરીમાં બેદરકારી બદલ અને કરારની શરતોનો વારંવાર ભંગ કરતા નોટીસ આપી હતી અને કચરો ઉપાડવા તથા દવા છંટકાવની કામગીરી સુધારવા તાકીદ કરી તેમજ રૂ ૨,૦૦,૧૦૦ નો દંડ કરવામાં આવ્યો હતો બાદમાં સ્થળ પર ફરીથી રૂબરૂ નિરીક્ષણ કરતા કામગીરીમાં સુધારો માલૂમ પડ્યો નથી જેની અસર લોકોના જાહેર આરોગ્ય પર થાય છે
વધુમાં પાલિકા દ્વારા કોન્ટ્રાકટ રદ્દ કરતા પત્રમાં જણાવ્યું છે કે, મોરબી શહેરી વિસ્તારના તમામ ૧ થી ૧૩ વોર્ડમાં આવેલ તમામ વિસ્તારોના નાના-મોટા કચરાના પોઈન્ટ-ઢગલા ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલ હતો પરંતુ ઉપરોક્ત કામગીરીમાં બેદરકારી દાખવતાં વિવિધ મુદાઓ અને કરારની શરતો નં. ૫, ૯, ૧૦, ૨૯ તથા ૩૭ નો વારંવાર ભંગ કરતાં નોટીસ આપવામાં આવેલ અને નોટીસમાં નિર્દિષ્ટ જગ્યા પર કચરો ઉપાડવા તથા દવા છંટકાવની કામગીરી સુધરવા બાબત તાકીદ કરેલ અને રૂ. ૨,૦૦,૧૦૦/- નો દંડ પણ કરવામાં આવેલ.
ઉપરાંત હાલમાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૨ ની કામગીરી ચાલી રહી છે અને આ પ્રકારની બેદરકારીને કારણે લોકોનું જાહેર આરોગ્ય જોખમાઈ છે અને મોરબી નગરપાલિકાના નેશનલ રેન્ક પર અસર પડે છે જેથી કોન્ટ્રાકટની શરત નંબર ૨૩ અંતર્ગત તાત્કાલિક અસરથી કોન્ટ્રાકટ રદ કરવામાં આવે છે જેની સ્પષ્ટ નોંધ લેવા જણાવ્યું છે
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...