મોરબી તાલુકાના પંચાસર ગામે ખેતરમાં રહેલાં ઢગલો કરેલા એરંડા માં આગ લગાડવાનો બનાવ બનતા આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી
જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકના પંચાસર ગામમાં જામભા ઉમેદસિંહ જાડેજાની વાડીમાં એક ઓરડીમાં રહેતાં હીરાભાઇ ભનાભાઈ પરમારે વિઘોટી માં રાખેલ 60 વિઘા ખેતરમાં વાવેલ 900 મણ એરેંડાના પાક તૈયાર થઇ ગયેલ હોવાથી તેની કાપની કરી ઢગલા ખેતરમાં રાખેલા હતા.દરમિયાન રવિવારે બપોરના સમયે આરોપી ભવાનસિહ અલુભા ઝાલા અને ભુરૂભા સુરુભાઝાલા નામના શખ્સોએ અંગત અદાવત રાખી ખેતરમાં તૈયાર પાક રૂ 1.26 લાખના સળગાવી નાખ્યો હતો અને હીરાભાઈ પરમારને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી ભવાનસિંહ અલુભા ઝાલા અને ભુરૂભા સુરુભા ઝાલા વિરુદ્ધ ગુન્હો નોધી આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અંગે પીએસઆઈ વીકે કોથીયા તપાસ ચલાવી રહ્યા છે.
મોરબી જીલ્લામાં દેશી દારૂનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેની ઝપેટમાં અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલ પાણીના વોંકળામાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠી ઝડપી પાડી કુલ કિં રૂ.૭૬,૪૦૦ નો મુદામાલ તાલુકા પોલીસે કબ્જે કર્યો છે તેમજ...
હળવદમાં રહેતા યુવકની પત્ની તથા એક શખ્સ વોટ્સએપ મેસેજમા વાતચીત કરતા હોય જેથી યુવકે એ શખ્સને વાતચીત નહી કરવા કહેલ હોય જેથી એ શખ્સનું ઉપરાણું લઈ આરોપીઓ યુવક સહિત ત્રણ વ્યકિતને ધોકા વડે મારમાર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં જી.આઇ.ડી.સી. બાલાજી કારખાના પાછળ...