મોરબીમાં રવાપર રોડ ઉપર રહેતા વયોવૃદ્ધને ફ્લેટ ખરીદવાને બહાને હનીટ્રેપમાં ફસાવી ગોંડલની અને અન્ય એક મહિલા સહિતના કુલ છ શખ્સોએ કાવતરું રચી વૃદ્ધનું અપહરણ કરી 22 લાખ રૂપિયા જેવી રકમ પડાવી લેતા ત્રણેક મહિના જુના બનાવમાં સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે તમામ છ આરોપીને પકડી પાડી વધુ તપાસ ચલાવી છે
મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા વૃદ્ધને મહેન્દ્ર નગર એક ફ્લેટ વેચવાનો હતો દરમિયાન એક ગેંગે તેઓને ફસાવવા કાવતરું રચ્યું હતું અને ફ્લેટ ખરીદવાના નામે 2 મહિલા વૃદ્ધને મળવા પહોચી હતી અને ટોકન રૂપે રૂ 5000 આપવા પહોચી હતી દરમિયાન વાતચીતના બહાને પાસે બેઠિ હતી અને ત્રીજા એક શખ્સે છુપાઈને ફોટા પાડી લીધા હતા બાદમાં આરોપીઓએ ભેગા મળી ધમકાવવાનું શરુ કર્યું હતું અને તેમનું અપહરણ કરી વાંકાનેર તરફ લઈ ગયા હતા.જ્યાં તેઓએ ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી અને રૂ 1 કરોડની માગણી કરી હતી. વૃદ્ધે વિરોધ કરતા તેમની પાસેથી રૂ 22 લાખ જેવી માતબર રકમ પડાવી લીધી હતી. આરોપીઓને તેનાથી પણ સંતોષ ન થતા અવાર નવાર ફોન પર ધમકી આપતા હોવાથી અંતે તેઓએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે બી ડીવીઝન પોલીસે તપાસ કરતા આરોપીઓ એમપી તેમજ વ્યારા,રાજકોટ,ચોટીલા તેમજ ગોંડલમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે અલગ અલગ ટીમ બનાવી હતી. એક ટીમ એમપી મોકલી હતી અને આરોપી દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી જયારે બાકીની ટીમને અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા રહે. ગોંડલ જિ. રાજકોટ, પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ બારોટ રહે. મોરબી વાવડીરોડ, અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ રાવળ રહે. ચોટીલા જિ. સુરેન્દ્રનગર, ગીતાબેન ઉર્ફે રીન્કુબેન અંકિત દિનેશભાઇ નાગલા રહે. ગોંડલ જિ. રાજકોટ અને ઉષાબેન પટેલને ઝડપી લીધા હતા અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...