મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ -27 ઉપર આવેલ કેડા કારખાનાથી ભરતનગર બાજુ રોડ ઉપર ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. આ બનાવમાં અંગે ફોર્ચ્યુનર કારના માલિકે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં અવની ચોકડી શ્યામ પાર્ક, રવાપર રોડ પર આવેલ સ્વર્ગ એપાર્ટમેન્ટમાં રહેતા ચીરાગભાઈ લાલજીભાઇ સગપરિયા (ઉ.વ.૩૩) એ આરોપી કમલસિંગ સરદારસિંગ રાજપુત (ઈ.વ.૨૬) રહે. અજમેર રાજસ્થાન વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૧૦-૨૦૨૨ ના રોજ આશરે બારેક વાગ્યાની આસપાસ મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ -27 ઉપર આવેલ કેડા કારખાનાથી ભરતનગર બાજુ રોડ ઉપર આરોપી પોતાના હવાલાનુ ટાટા કંપનીનુ ટ્રક જેની પાછળની બાજુએ કંટેનર રાખેલ છે જેના રજી નં- GJ-12-BT-9614 વાળુ વાહન માણસોની જીંદગી જોખમાય તેમ પુ૨ ઝડપે ભયજનક અને ગફલત ભરી રીતે બેફીકરાયથી ચલાવી આવી ફરીયાદીની સફેદ કલરની ટોયોટા ફોર્ચ્યુનર લીજેંડર કાર રજીસ્ટર નં- GJ-03-MH-5867 વાળીને ડ્રાઈવર સાઈડ જમણી બાજુએ અકસ્માત સર્જીયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ બનાવ અંગે ચીરાગભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ IPC કલમ-૨૭૯ MV ACT કલમ-૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
મોરલી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોન્સુન કામગીરીના ભાગ રુપે મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામા આવી હતી જેમા ઘર મુલાકાત લઈ લઈ પાણી ભરેલ પાત્રો ની ચકાસણી કરવામાં આવેલ તથા આવા પાત્રો મા પોરા ઉત્પન્ન થતા અટકાવવા પોરાનાશક દવાઓ નાખવા ની પ્રવ્રુતિઓ હાથ ધરવામાં આવી...
મોરબી મહાસંઘના કાર્યકર્તાઓએ અધિકારી અને પદાધિકારીઓને મળી કાર્યક્રમની જાણકારી આપી પોસ્ટરનું વિમોચન કર્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા તા.01-09-2025 ના રોજ ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં "આપણી શાળા- આપણું સ્વાભિમાન" નો સંકલ્પ લેવાની અનોખી અને ઉત્તમ પહેલ થવા જઈ રહી છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળા તીર્થભૂમિ બને...
આમ આદમી પાર્ટી મોરબી દ્વારા આ આવેદનના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડી હતી. તારીખ 19 ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણા વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે.
ત્યારે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ...