આજરોજ મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે ભારત સરકારની પી.એસ. યોજના હેઠળ શ્રી જેતપર જૂથ સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવમાં ચણા – રાયડો ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં આજ રોજ 12 ખેડૂતો હાજર રહ્યા હતા સાથે સાથે ખેડૂતોને પોતાનો પાક લુઝ લઈને આવવા અપીલ કરવામાં આવી હતી
જેથી આજથી મોરબી માર્કેટ યાર્ડ ખાતે ચણા અને રાયડો ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં શ્રીફળ વધેરી ચણા વેચવા આવેલ ખેડૂતોને કુમકુમ તિલક કરી મોં મીઠા કરી ખરીદીનો પ્રારંભ કરાયો હતો. જેમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,રાજકોટ જિલ્લા સહકારી બેન્કના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા,માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયા કૃભકો અને ગુજકોના આગેવાનો હાજર રહ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...