સરકારી કચેરીમાં સરકારી બાબુઓ ને મફતના પગારની ટેવ પડી ગઈ હોય તેવું અમુક સરકારી કર્મચારીઓને વર્તન પર થી લાગી રહ્યું છે મામલતદાર અને તલાટી વચ્ચે અરજદારો ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો
મોરબીમાં મામલતદાર કચેરીમાં તલાટી ઓફિસે જનાર દરેક અરજદારોને આજે ધરમનો ધક્કો થયો હોય તેવા ઘાટ ઘડાયા છે. જ્યાં વારસાઈ નોંધ કરાવવા આવેલા અરજદારો તમામ દસ્તાવેજો સાથે તલાટી મંત્રીની ઓફિસમાં પહોંચી ગયા હતા. ઓફિસ બહાર સવારે 10:30 વાગ્યાના સુમારે અરજદારોએ આવવાની સૂચના લખવામાં આવી હતી પરંતુ તલાટીની ઓફિસની બહાર તાળું વાસેલું હતું. એટલું જ નહીં કલાક વિતવા છતાં પણ ખુદ તલાટી જ આવ્યા ન હતા ત્યારે અરજદારોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેર, માધાપર અને વજેપરમાં આવેલા વિસ્તારોમાં અશાંત ધારા અંગેની અરજીઓની સ્થળ ચકાસણીનું કામ ચાલુ હોય તે માટે તલાટી કચેરીમાં દાખલા વેરિફિકેશન તથા વારસાઈ આંબાની કામગીરી માટે લોકોને આનુષંગીક કામગીરી કરવા માટે તલાટીની ઓફિસમાં જવાનું હોય છે. હાલ ઓફિસની બહાર એવી નોંધ પણ લગાવવામાં આવી છે કે સવારે 10:30 થી બપોરે 02:00 કલાક વાગ્યા સુધી આ કામગીરી કરવામાં આવશે. જેને પગલે મોરબી વાસીઓ પોતાની આનુષંગીક કામગીરી પૂર્ણ કરવા માટે કચેરીએ પહોંચી ગયા હતા પરંતુ ઓફિસની બહાર તો તાળું મારેલું હતું. ખુદ તલાટી ત્યાં હજાર ન હતા. એટલું જ નહીં કોઈ અધિકારી પણ આ બાબતે ત્યાં જવાબ દેવા માટે તૈયાર ન હતા.
આ બાબતે મોરબી સિટી મામલતદાર સાંચલાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે આ કામગીરી જે અધિકારીએ કરવાની હતી તેઓ હાલ રજા પર છે. જેથી તેમના સ્થાને અન્ય કર્મચારીને આ કામગીરી સોંપવામાં આવી છે. એ કર્મચારી સ્થળ પર મોડો પહોંચ્યું હોવાનું ધ્યાને આવ્યું છે જેથી સુચના આપવામાં આવી છે અને અરજદારોનું કામ તાત્કાલિક કરી આપવામાં આવશે તેમ ઉમેર્યું હતું
મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હેઠળ મોરબી, માળીયા ટંકારા,વાંકાનેર અને હળવદ વગેરે પાંચ તાલુકાની 585 શાળાઓમાં 3400 જેટલા શિક્ષકોના પ્રાણ પ્રશ્નો માટે, નેવું હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે સતત કાર્યરત, સતત ચિંતન, મનન અને મંથન જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતા દ્વારા કરવામાં આવે...
વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં વૃદ્ધ ખેડૂત સાથે એક શખ્સે પોતાના UPI નો ઉપયોગ કરી વૃદ્ધ સાથે ઓનલાઇન ફ્રોડ કરી યુવકના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 77728 પડાવ્યા હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં પલાસડીના માર્ગે રહેતા અને ખેતી કરતા હૈદરઅલી આહમદભાઈ...