મોરબી: હત્યા ના ગુનાહ માં સજા ભોગવી રહેલા કેદી નું મોત !
મોરબી જેલમાં હત્યા ના ગુનાહમાં સજા ભોગવી રહેલા વૃદ્ધ નું સબજેલમાં હાર્ટએટેક ના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક માહિતી આવી સામે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ૨૦૧૮ના વર્ષમાં ૩૦૨ના ગુન્હામાં સબ જેલમાં સજા કાપતા શીવાભાઈ રામજીભાઈ ડાભી ઉ.વ ૬૯ ની તબિયત અચાનક લથડતા તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા જોકે આરોપી ની સારવાર વધુ લથડતા રાજકોટ રીફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ રાજકોટ રીફર કરે તે પેહલા જ મોત નીપજ્યું હતું અને હાલ પોલીસે પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી સમગ્ર મામલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે
વર્ષ ૨૦૧૮ માં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ૩૦૨ ના ગુન્હા માં પાકયેલ હતા અને ૨૦૨૦માં જમીન પર છુટકારો મેળવ્યો હતો જોકે ફરિયાદી પક્ષ તરત થી સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા કોર્ટ દ્વારા જામીન રદ કરી ફરી જેલ હવાલે કરવામાં આવ્યો હતા, આજે સવારે પગમાં દુખવાની ફરિયાદ કરતા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે તબિયત વધુ લથડતા રાજકોટ રીફર કરવાનો હતો અને તેની પ્રકિયા ચાલતી હતી તે દરમ્યાન મોત નિપજતા હાલ પીએમ કરવાની તજવીજ હાથ ધરવામા હતી.
ઉલ્લેખનીય છે કે આરોપી શીવાભાઇ ની સારવાર દરમ્યાન મોત નિપજતા સિવિલ પર ફરજ બજાવતા ડોક્ટર આર કે સિંઘ દ્રારા પ્રાથમિક મોત અંગે નું કારણ હાર્ટ અટેક થી થયા હોવાનું જણાવી રહ્યા છે મોત નું સાચું કારણ જાણવા માટે મૃત દેહ ને રાજકોટ કોરેંસિન્ક પીએમ માટે રાજકોટ ખાસડવામાં આવ્યો છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોત નું સાચું કારણ સામે આવશે