કાર્યકર્તાઓના ઘડતર માટે છ સત્રોમાં વિવિધ વિષયો પર રાજયકક્ષાના હોદેદારો માર્ગદર્શન પુરૂ પાડ્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે રાષ્ટ્ર કે હિતમે શિક્ષા..શિક્ષા કે હિતમે શિક્ષક.. શિક્ષક કે હિતમે સમાજ ના ધ્યેય સૂત્ર સાથે શિસ્તબધ રીતે કાર્ય કરતું સંગઠન છે, સંગઠનમાં કાર્યરત કાર્યકરો,મંડળ સંયોજકોએ કેવી રીતે કાર્ય કરવું? એ માટે નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર મોરબી ખાતે પૂર્ણ દિવસના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દિનેશભાઈ વડસોલા અધ્યક્ક્ષે સૌના શાબ્દિક સ્વાગત સાથે અભ્યાસ વર્ગની આચારસંહિતા વિશે વાત કરી ત્યારબાદ નવયુગ શૈક્ષણિક સંકુલના કર્તા ધરતા પી.ડી.કાંજીયાએ સાંપ્રત શિક્ષણ વ્યવસ્થા અને અભ્યાસ વર્ગની જરૂરિયાત વિશે વાતો કરી હતી પ્રથમ સત્રમાં મિલનભાઈ પૈડાએ સંઘ પરિચય આપ્યો ત્યારબાદ રાજ્ય મહાસઘના મંત્રી રતુભાઈ ગોળે અભ્યાસ વર્ગનું મહત્વ અને કાર્યકરોની મનો ભૂમિકા વિશે ચર્ચા અને ચિંતન રજૂ કર્યું ત્યારબાદ સત્ર- ૩ માં મુળજીભાઈ ગઢવી પ્રચાર મંત્રી પ્રાંત ટિમ અને હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા સંગઠનની કાર્ય પદ્ધતિ અને સદસ્યતા પ્રવાસ વિષય રજૂ કર્યો,
કિશોરભાઈ શુક્લ સાર્થક વિદ્યાલયના સંચાલકે નવી શિક્ષણનીતિ શિક્ષણના પડકારો વિશે સત્ર લીધું હતું સત્ર પાંચમું અશોકભાઈ સતાસિયાએ
હોદેદારોની જવાબદારી સંગઠનના કાર્યકર્તાઓની અધિકારીઓ સાથેનો સરકાર સાથેનો વ્યવહાર અને દિનેશભાઈ વડસોલા અધ્યક્ષે પ્રચાર – પ્રસાર કેવી રીતે કરવો? વગેરે વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. સમારોપ સત્રમાં ડો.જયંતીભાઈ ભાડેસિયા સંઘ ચાલકજી પશ્ચિમ ક્ષેત્ર દ્વારા ઉપસ્થિત સૌ શિક્ષક કાર્યકરોને હાલની સમગ્ર દુનિયા અને દેશ વિશે જુદાં જુદાં ધર્મો વિશે, શિક્ષણ પ્રણાલી વિશે વાત કરી હતી,રતુભાઈ ગોળ મંત્રી રાજ્ય મહાસંઘ મુળજીભાઈ ગઢવી કચ્છ હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર પ્રાંત મહેશભાઈ બોપલીયા કાર્યવાક હસમુખભાઈ પટેલ પ્રચારકજી મોરબી જિલ્લો કિરણભાઈ કાચરોલા મંત્રી પ્રદીપભાઈ કુવાડિયા સી.ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ તથા કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષ કિરણબેન આદ્રોજા વગેરેએ જુદા જુદા સત્રોમાં અધ્યક્ષ પદ શોભવ્યું હતું.અંતમાં ડો.જ્યંતીભાઈ ભાડેસીયા દ્વારા માયાબેન ડાંગર મહિલા અધ્યક્ષ માળીયા, રસીકભાઈ ભાગીયા ટંકારા તાલુકા ઉપાધ્યક્ષ, રોહિતભાઈ ચીકાણી કાર્યકારી અધ્યક્ષ, હીમાંશુભાઈ સરવૈયા પ્રચાર મંત્રી ટંકારા, ધીરજલાલ જાકાસણીયા,મેહુલભાઈ જાકાસણીયા,રણજીતભાઈ કટેસિયાને કારોબારી સભ્ય મોરબી તરીકે ઘોષણા કરી હતી.
હમણાં ઘણા સમય થી મોરબી જીલ્લા મા જાગૃતિ અભ્યાન ચાલી રહ્યું હોય તેના ભાગ રૂપે આજે વિસીપરા વિસ્તાર ના રહીશો ની જે વર્ષો જૂની સમસ્યા ઓ જેવી કે પાણી ના યોગ્ય નિકાલ નથી, ગટરો ની સાફસફાઈ યોગ્ય નથી , રોડ રસ્તા ના પ્રશ્નો , લાઈટો ના પ્રશ્નો આવા અનેક...
કાંતિલાલ અમૃતિયાનાં સમર્થકો ગાડીઓનાં કાફલા સાથે ગાંધીનગર પોહચે તે પહેલાં જ ભાજપના પ્રવક્તા એ કાંતિલાલ અમૃતિયા નાં રાજીનામા ની વાતો થીં છેડો ફાડ્યો હવે કાંતિલાલ અમૃતિયા ની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ!
મોરબીની પ્રજા જાગૃતિ બની અને રોડ પર આવી કાંતિભાઈ નો અને ભાજપનો વિરોધ કરી રહી છે ત્યારે...
માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના મંદિર પાછળથી વિદેશી દારૂની ૯૬ બોટલ કિં રૂ. ૬૩,૩૬૦ ના મુદ્દામાલ સાથે આરોપીને માળીયા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના...