Friday, June 27, 2025

રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરાતા તેના વિરોધમાં મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા નવા બસ સ્ટેન્ડ પાસે ધરણા કરવામાં આવ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનું લોકસભામા સભ્ય પદ રદ કરવાના વિરોધમાં મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા નવા બસ સ્ટેન્ડ નજીક ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં તનાશાહી ભગાવો લોકશાહી બચાવો જેવા બનેરો સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. તે દરમિયાન મોરબી પોલીસે કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી હતી.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનું લોકસભામાં સભ્ય પદ રદ કરવાના વિરોધમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે નવા બસ સ્ટેન્ડ નજીક સરદાર પટેલની પ્રતિમા સામે ધરણા પ્રદર્શન કાર્યક્રમ રાખ્યો હતો જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, કે.ડી. પડસુબિયા, મુકેશ ગામી, મહેશ રાજ્યગુરુ, કે.ડી. બાવરવા સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ લોકતંત્રનું જતન કરો, તાનાશાહી ભગાવો, બંધારણ મુજબ શાસન ચલાવો, દેશ બચાવો,રાહુલ ગાંધી સચ્ચે હૈ સહિતના બેનેરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જ્યારે આ ધરણા પ્રદર્શનને લઈને પોલીસે સ્થળ ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને પોલીસે ધરણા પ્રદર્શન કરતા કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી હતી. જ્યારે કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી આક્રોશ ઠાલવ્યો હતો કે, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને સજા થયા બાદ તેમનું લોકસભામાં સભ્ય પદ રદ કરવામાં આવ્યું તે સરકારની તાનશાહી છે અને બિન લોકશાહી ઢબે જ શાસન ચાલી રહ્યું હોય પ્રજાના પ્રશ્નો ઉઠાવતા વિરોધ પક્ષ ઉપર દબાણ લાવવા આ રીતે સરકાર વિરોધ પક્ષનો આવજ કચડી રહી છે તે કોઈ કાળે સાખી લેવામાં નહી આવે તેમજ વધુમાં જણાવ્યું હતું કે જો કાયદો કાયદાનું કામ કરતો હોય તો ભાજપના ઘણા નેતા દોષી છે. એમની સામે કેમ કોઈ કાર્યવાહી થતી નથી માત્ર વિરોધ પક્ષ હોવાના નાતે કોંગ્રેસ ઉપર જ કાર્યવાહી થઈ રહી હોય તે યોગ્ય નથી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર