મોરબી: રણછોદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા પ્રેરિત અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વિના મૂલ્યે આ બંને કેમ્પનું દાતાઓના સહયોગથી આયોજન પીપળીયા પાસે આવેલ કે પી ટેક નોન વુવન ફેકટરીમાં કરવામાં આવ્યું હતુ.
આ કેમ્પને આપણા હિન્દુ ધર્મ મુજબ દીપ પ્રાગટય કરીને ખુલો મૂકવામાં આવ્યો આ દીપ પ્રાગટયમાં સેવાભાવી ડોકટર આ આઠમા કેમ્પના દાતા લા મણિલાલ ભાઈ કાવર સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ગવર્નર લા રમેશભાઈ રૂપાલા તેમજ પાસ્ટ પ્રેસિડેન્ટ અને પ્રોજેક્ટ ચેરમેન ભીખાભાઈ લોરિયા અને પ્રાનજીવનભાઈ રંગપડીયા સેક્રેટરી લા કેશુભાઈ ખજાનચી લા ટી સી ફૂલતરિયા તથા લા સભ્યો મહાદેવભાઈ તથા મનુભાઈ જાકાસનીયા અને સેવક ગણ અને દરિદ્રનારાયનોની હાજરી આપી હતી.
આ કેમ્પમાં આંખના ૯૮/- દર્દીઓને તપાસ્યા જેમાંથી ૨૭ વ્યક્તિઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી મહારાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ઓર્થોપેડિકમાં આયુષ હોસ્પિટલના સર્જન ડો સૌરભ પટેલે ૨૭/- દર્દીઓને તપાસ્યા જેમાંથી ચાર દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
આ કેમ્પની સમગ્ર વ્યવસ્થા લા રશ્મિકા બેન રૂપાલા તેમજ લિયો કલબના પ્રેસિડેન્ટ અને તેમની ટીમે કરી સદગુરૂ દેવ રણછોડદાસ બાપુની આરતી કરી તમામ દરિદ્રનારાયણને ભોજન પ્રસાદ લેવડાવી આ સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરીને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લિયો કલબ ઓફ મોરબી સીટીનો આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો આ સેવાકીય કેમ્પના દાતા એ ઝોન પોલીફેબ એલ એલ પી ના માલિક લા મણિલાલ જે કાવર તેમના સૂપુત્રો ચેતનભાઈ કાવર અને સંદીપભાઈ કાવર હતા તેવું પ્રેસિડેન્ટ જીજ્ઞેશ ભાઈ કાવરની યાદીમાં જણાવાયું છે.
મોરબીના રવાપર રોડ ખાતે 125 વિઘામાં પથરાયેલા આલાપ પાર્કમાં પંદર વર્ષ પહેલાં વિશ્વનાથ મહાદેવના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ સમગ્ર આલાપ વાસીઓના સહકારથી આર્થિક યોગદાનથી થયેલ છે. સુંદર મજાનું વિશાળ પટાંગણ, પટાંગણમાં મસ મોટાં વૃક્ષો ઉભેલા છે, દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે.
નુતન...