હનુમાન જયંતી એક મહત્વપુર્ણ હિન્દુ તહેવાર છે. તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીને કલિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે મોરબી નજીક આવેલા વિરપડા ગામે તારીખ 6 એપ્રિલના રોજ હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે સાદરીયા પરિવાર નાં સ્વયંભૂ પ્રાગટ્ય હનુમાનજી મંદિર ખાતે સાદરીયા પરિવાર નું સ્નેહ મિલન અને હોમ હવન સહિત ભજન કીર્તન જેવાં ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે
સવારે 7:00 હોમ હવન બપોરે મહાપ્રસાદ નું આયોજન અને બપોરના 3:30 કલાકે બીડુ હોમવાનું તેમજ રાત્રે 8:00કલાકે સુંદર કાંડ નાં પાઠ કરવામાં આવશે આ ત્રિવિધ કાર્યક્રમમાં સહુ સાદરીયા પરિવારે ઉપસ્થિત રહેવા યાદી માં જણાવ્યું છે
હળવદ માળિયા હાઈવે રોડ ઉપર ફાઉન્ટન હોટલના ગ્રાઉન્ડમાં આધેડની ટ્રક ઉભી હોય તેના પર ચાર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરના ઘા મારતાં હોય જેથી આધેડે તેને શા માટે નુકસાની કરો છો તેમ કહેતા આરોપીઓએ આધેડને ઢીકાપાટુનો મુંઢમાર મારી ટ્રકમાં નુકસાની કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની...
મોરબીના વીસીપરા કુલીનગર -2 મા કોઈ કારણસર યુવકને ચાર શખ્સોએ માર મારી છરી વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ વીસીપરા વિસ્તારમાં કુલીનગર-2 માં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા મહમદ અમીનભાઈ ગુલમહમદભાઈ કટીયા (ઉ.વ.૩૮) એ આરોપી મીરમહમદ ઉર્ફે ડાડાભાઇ...