મોરબી: વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ઇસમો વિરુધ્ધ મનીલેન્ડર્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી અલગ અલગ ત્રણ ગુનહામા આઠ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર વિસ્તારમા વગર લાયસન્સે ઉચ્ચા વ્યાજે નાણાધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતો ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેથી ગઇકાલ તા.૫/૧/૨૦૨૩ ના રોજ અલગ અલગ ફરીયાદી જેમા (૧)પ્રદીપભાઇ કેશવજીભાઇ પરમાર ઉ.વ.૨૭ ધંધો.લેથકામ રહે.મોરબી પંચાસર રોડ ધર્મસીધ્ધીસોસાયટી વાળાને ઉચા વ્યાજે રૂપીયા ધીરધાર કરી ચેકો પડાવી લઇ નીચે જણાવેલ ચાર ઇસમો પઠાણી ઉઘરાણી કરતા હોય તેમજ બીજા ફરીયાદી મણીબેન ચંદુભાઇ લધારામભાઇ લાલવાણી ઉ.વ.૭૨ રહે.મોરબી કામધુનપાર્ટી પ્લોટ પાસે કંડલા બાયપાસ અંજલી એપાર્ટમેન્ટ લેટર્ન,૪૦૪ વાળાને તથા તેમના દિકરા ભાવેશભાઇ ચંદુભાઇ લાલવાણી પાસેથી ત્રણ ઇસમો ઉચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘારાણી કરતા હોય તેમજ ત્રીજા ફરીયાદી મહાવીરભાઇ નરેન્દ્રકુમાર વૈષ્ણવ રહે. મોરબી પંચાસરરોડ રાજનગર સોસાયટી વાળા પાસથી ઇસમએ ઉચા વ્યાજે રૂપીયા આપી ચેકો તેમજ નોટરી લખાણ કરાવી વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘારાણી કરતા હોય જેથી આરોપીઓ વિરૂધ્ધ ગુન્હા રજીસ્ટર કરી ગણતરીના કલાકમાં આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી "નમો વન" બનાવવામાં આવી રહ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.
આગામી 17, સપ્ટેમ્બર 2025 ને બુધવાર ના રોજભારત વર્ષના...
હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ, ટંકારા ખાતે ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ અને વિવિધ પ્રકારની...