હાલ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરાયું છે.આ નગરમાં કુલ સાત પ્રવેશદ્વાર બનાવાયા છે. જેમાં મુખ્ય પ્રવેશદ્વાર એટલે સંત પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે આ ભવ્ય સંત પ્રવેશદ્વારને બનાવવા માટે એક વર્ષની મહેનત લાગી છે
આ સંત પ્રવેશદ્વારની કુલ 380 ફુટ લંબાઇ અને 35 ફુટ પહોળો તથા 51 ફુટ ઉંચો છે. સંત પ્રવેશદ્વાર પર કુલ 14 સંતોની 28 પ્રતિમાનું સ્થાપન કર્યુ છે. જેમાં શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, મુક્તાનંદ, ચૈતન્ય મહાપ્રભુ, ગૌતમબુદ્ધ, સંતરોહીદાસ, રામાનુજાચાર્ય, ગુરુનાનાક, સ્વામી વિવેકાનંદ, સંત તુલસીદાસજી, મીરાબાઇ, નરસિંહ મહેતા, મહાવીર સ્વામી, સંત કબીરની પ્રતિમાનો સમાવેશ થાય છે.
આ બધી પ્રતિમાઓ ધાતુની બનાવાઈ છે, જેથી તેને ફરીથી અન્ય કોઈ જગ્યાએ સ્થાપિત કરી શકાય.સનાતન હિન્દુ ધર્મના આ સંતોએ સમાજ ઘડતરનુ મોટું કાર્ય કર્યું છે. તેથી અમે પ્રવેશદ્વાર પર સંતોને સ્થાન આપ્યું છે. સંત દ્વારમાં બારીક કલાત્મક કોતરણી સહિત મોરની પ્રતિમા રખાઇ છે.
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...