મોરબીના શનાળા રોડ પર આવેલ સમય ગેટને જર્જરિત હાલતમાં હોવાથી હટાવી લેવામાં આવ્યો તો આ સામા કાંઠા વિસ્તારમાં આવેલા ગેટને કેમ હટાવવામાં ન આવ્યો.
મોરબી: મોરબી સામા કાંઠા વિસ્તારમાં આવેલ ગેટ જર્જરિત અવસ્થામાં જોવા મળે છે ગમે ત્યારે અકસ્માત સર્જાય શકે છે. ત્યારે સવાલએ ઉદભવિ રહ્યો છે કે મોરબી શનાળા બાયપાસ નજીક આવેલ સમયનો ગેટ જર્જરિત થતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો તો શું આ ગેટ માર્ગ અને મકાન વિભાગના ધ્યાન નહિ આવતો હોય કે પછી અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે.
મોરબીમાં શનાળા બાયપાસ નજીક આવેલ સમયનો ગેટ જર્જરિત થતા કોઈ અકસ્માત ન સર્જાય કે મોટી દુર્ઘટના ન ઘટે તે માટે મોરબી માર્ગ મકાન વિભાગ દ્વારા સમયનો ગેટ ઉતારી લેવામાં આવ્યો હતો. ત્યારે મોરબીના સામા કાંઠા વિસ્તારમાં ગેટ આવેલ છે જે ગેટ પણ જર્જરિત અવસ્થામાં જોવા મળે છે તેમ છતા માર્ગ મકાન વિભાગ દ્વારા હજું સુધી તે ઉતારવામાં આવ્યો નથી. ત્યારે શું માર્ગ અને વિભાગના ધ્યાનમાં આ સામા કાંઠા વિસ્તારમાં આવેલ સમયનો ગેટ નજરમાં નહીં આવતો હોય કે પછી અકસ્માત સર્જાવાની રાહ જોઈ રહ્યા છે. સામા કાંઠા વિસ્તારમાં આવેલ સમયનો ગેટ જર્જરિત હાલતમાં છે જો પડે તો ઘણી જાનહાનિ થઇ શકે છે જેથી વહેલી તકે કોઈ દુર્ઘટના બને તે પહેલાં તકેદારીના ભાગ રૂપે જર્જરિત થયેલા આ ગેટ ઉતારી લેવો જોઈએ તેમજ મોરબી જિલ્લામાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે પરંતુ મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવલ ગેટ જ જર્જરીત અવસ્થામાં છે ત્યારે શું આ ગેટ પણ તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું.
મોરબી ડિસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટમાં મોરબી જિલ્લામાં સૌથી ચકચારી ટ્રક વડે મહિલાને કચડી નાખી મૃત્યુ નિપજાવવાના કેસના આરોપી અમૃતભાઈ કેશુલાલ ચૌહાણનો પ્રિન્સી. ડિસ્ટ્રી. એન્ડ સેસન્સ જજ શ્રીવાસ્તવ સાહેબનો ઐતીહાસીક ચુકાદો આપી આરોપી નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે.
મોરબી સીટી એ ડીવી પોલીસ તા. ૩૧/૦૧/૨૦૨૪ ના રોજ ફરીયાદી રમણીકભાઈ કાનજીભાઈ ડાભીની...
રાજ્યભરમાં સાયબર ક્રાઇમ કરી અને મેળવેલ નાણાં મ્યુલ એકાઉન્ટનમા જમા કરી સગેવગે કરનાર શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં છેતરપિંડી નાણાં સગેવગે કરનાર આવા વધું ચાર શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી...
હળવદ શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ રહેતો યુવક પોતાના ઘરે જમવા જતો હોય ત્યારે ત્રણ ત્રણ શખ્સો ફરીયાદીના ઘર પાસે આવી યુવકના કૌટુંબિક ભાઈ સાથે આરોપીઓને ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી યુવક પર ત્રણ શખ્સોએ તલવાર વડે હુમલો કરી માર માર્યો તેમજ સાથી સરોજબેન વચ્ચે પડતા તેમને પણ માર...