મોરબીના શનાળા રોડ પર આવેલ સમય ગેટને જર્જરિત હાલતમાં હોવાથી હટાવી લેવામાં આવ્યો તો આ સામા કાંઠા વિસ્તારમાં આવેલા ગેટને કેમ હટાવવામાં ન આવ્યો.
મોરબી: મોરબી સામા કાંઠા વિસ્તારમાં આવેલ ગેટ જર્જરિત અવસ્થામાં જોવા મળે છે ગમે ત્યારે અકસ્માત સર્જાય શકે છે. ત્યારે સવાલએ ઉદભવિ રહ્યો છે કે મોરબી શનાળા બાયપાસ નજીક આવેલ સમયનો ગેટ જર્જરિત થતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો તો શું આ ગેટ માર્ગ અને મકાન વિભાગના ધ્યાન નહિ આવતો હોય કે પછી અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે.
મોરબીમાં શનાળા બાયપાસ નજીક આવેલ સમયનો ગેટ જર્જરિત થતા કોઈ અકસ્માત ન સર્જાય કે મોટી દુર્ઘટના ન ઘટે તે માટે મોરબી માર્ગ મકાન વિભાગ દ્વારા સમયનો ગેટ ઉતારી લેવામાં આવ્યો હતો. ત્યારે મોરબીના સામા કાંઠા વિસ્તારમાં ગેટ આવેલ છે જે ગેટ પણ જર્જરિત અવસ્થામાં જોવા મળે છે તેમ છતા માર્ગ મકાન વિભાગ દ્વારા હજું સુધી તે ઉતારવામાં આવ્યો નથી. ત્યારે શું માર્ગ અને વિભાગના ધ્યાનમાં આ સામા કાંઠા વિસ્તારમાં આવેલ સમયનો ગેટ નજરમાં નહીં આવતો હોય કે પછી અકસ્માત સર્જાવાની રાહ જોઈ રહ્યા છે. સામા કાંઠા વિસ્તારમાં આવેલ સમયનો ગેટ જર્જરિત હાલતમાં છે જો પડે તો ઘણી જાનહાનિ થઇ શકે છે જેથી વહેલી તકે કોઈ દુર્ઘટના બને તે પહેલાં તકેદારીના ભાગ રૂપે જર્જરિત થયેલા આ ગેટ ઉતારી લેવો જોઈએ તેમજ મોરબી જિલ્લામાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે પરંતુ મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવલ ગેટ જ જર્જરીત અવસ્થામાં છે ત્યારે શું આ ગેટ પણ તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું.
મોરબી - રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે વિઝન પ્લાસ્ટિક કારખાનામાં ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા તેનો પાઈપ માથામાં લાગતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબી રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે આવેલ વિઝન કારખાને રૂમમાં રહેતા અને...
મોરબીના શનાળા રોડ પર દરીયાલલ સ્કેવરમા બીજા માળે આવેલ વેલનેસ સ્પાના સંચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં સ્પામાં કામ કરતા વર્કરોના બાયોડેટાની નોંધણી વગર સ્પા ચલાવતા સ્પાના સંચાલક સંચાલકની અટકાયત કરી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી...
મોરબીના ચરાડવા મહાકાળી આશ્રમ તથા સુરેંદ્રનગર જિલ્લાના ધાંગધ્રા તથા વસ્તડી મેલડી માતાજીના મંદીરમાં એમ ત્રણ મંદિર ચોરીઓનો ભેદ ઉકેલી ચાર આરોપીને રોકડા રૂપીયા, ચોરીમાં ગયેલ દાનપેટીની રકમ તથા સોના તેમજ ધાતુના દાગીના સહીત કુલ કિ.રૂ. ૨,૯૧,૦૦૫/- ના મુદામાલ સાથે ચાર ઈસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી પોલીસને...