ઘરગથ્થુ ખાદ્ય પદાર્થો નો ઉપયોગ કરી 30થી વધુ પોષણક્ષમ વાનગીઓ બનાવી
દર વર્ષની જેમ આ વરસે પણ પોષણ માસ ની ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે પરીક્ષાના સમયને ધ્યાનમાં રાખીને આજે શ્રીમતી જે એ પટેલ મહિલા કોલેજમાં ઉજવણી કરવામાં આવી હતી
કૉલેજના NSS યુનિટ અને હોમસાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પોષણ મૂલ્યવર્ધક વાનગી બનાવવાની રીત, નાના બાળકો અને સગર્ભા મહિલા-માતાઓ અને કિશોરીઓમાં કુપોષણ નિવારવાની પ્રેકટીકલ સમજ આપવામાં આવી.જુદા -જુદા પોષણ મૂલ્યો ધરાવતાં અનાજ, કઠોળ, શાકભાજી, તેલિબિયાં, ખજૂર, રાજમા, રાગી, ગાજર, બીટ, આળવીનાં પાન વગેરે ઘરગથ્થું પદાર્થનો ઉપયોગ કરીને કુલ ૩૦ વાનગીઓ બનાવવામાં આવી.
એન.એસ.એસ.ની સ્વયંસેવકાઓ દ્વારા વાનગીઓ બનાવવામા આવી હતી. જંકફુડથી દૂર રહેવા હાકલ કરવામાં આવી. ગરીબ ઘરની વ્યકિત પણ ઓછી કિમતે પોષ્ટિક વાનગી બનાવીને આરોગી શકે એ બાબતે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રિ. ડૉ. પી. કે.પટેલ પ્રેરક વકતત્વ આપ્યું. મોરબી જીલ્લા NSS કો-ઓર્ડીનેટર પ્રો.વનિતાબેન કગથરાએ યોગ્ય માર્ગદર્શન આપ્યું. આ તકે હોમસાયન્સના અધ્યક્ષ પ્રો.દક્ષાબેન પટેલ , પ્રો. દિનેશભાઈ ઠોરીયા, ડૉ. રમેશભાઈ પવાર, પ્રો મંજુલાબેન દેસાઈ વગેરે હાજર રહીને વિધાર્થીને પ્રોત્સાહિત કરેલ. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રો.વનિતાબેન કગથરાએ કર્યું હતું
મહાનુભાવોના હસ્તે પર્યાવરણ ક્ષેત્રે પ્રેરણારૂપ કામગીરી કરનાર જિલ્લાના પર્યાવરણવીરોનું વિશેષ સન્માન કરાયું
મોરબીમાં રફાળેશ્વર નજીક પાંજરાપોળની ભૂમિ પર એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત અંદાજિત ૩૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત...
હમણાં ઘણા સમય થી મોરબી જીલ્લા મા જાગૃતિ અભ્યાન ચાલી રહ્યું હોય તેના ભાગ રૂપે આજે વિસીપરા વિસ્તાર ના રહીશો ની જે વર્ષો જૂની સમસ્યા ઓ જેવી કે પાણી ના યોગ્ય નિકાલ નથી, ગટરો ની સાફસફાઈ યોગ્ય નથી , રોડ રસ્તા ના પ્રશ્નો , લાઈટો ના પ્રશ્નો આવા અનેક...