હળવદ તાલુકાના કડીયાણા ગામમાં ઘરની અગાસી પરથી પડી જતા ૪૦ વર્ષના પુરુષને ઈજા પહોંચી હતી જેનું સારવાર દરમિયાન મોત થયું છે
કડિયાણા ગામના રહેવાસી મહેશભાઈ ધીરજભાઈ વાઢરકીયા (ઉ.વ.૪૦) પોતાના ઘરે કોઈ કારણોસર અગાસીમાંથી પડી જતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી
મોરબી જિલ્લામાં સૌથી વધુ વાંકાનેરના પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.76% પરિણામ, સૌથી ઓછું ચરાડવા કેન્દ્રનું 81.84% પરીણામ
આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યનું કૂલ પરિણામ 83.08 ટકા આવ્યું છે. 89.29 ટકા સાથે બનાસકાંઠા...
મોરબી શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે જેમ શક્તિમાન ટીવી સિરિયલમાં એક ડાયલોગ હતો કે "અંધેરા કાયમ રહેગા" તેવી જ રીતે મોરબીમાં વ્યાજખોરી કાયમ રહેશે તેવુ હાલ લાગી રહ્યું છે ત્યારે મોરબીમાં એક વેપારીની મજબુરીનો લાભ ઉઠાવી બે વ્યાજખોરોએ રૂપિયા ૮ લાખ વ્યાજ આપી બાદ વેપારીનુ અપહરણ કરી વેપારીની જમીન...
મોરબી શહેરમાં ફ્રોડના કિસ્સાઓમાં ધરખમ વધારો નોંધાયો રહ્યો છે પોલીસ દ્વારા લોકોને માહિતગાર કરવા છતાં લોકો ફ્રોડ કરનારાઓના શિકાર બની રહ્યા છે ત્યારે આરોપીઓએ મોરબીના રવાપર રોડ પર રહેતી મહિલાનું વોટ્સએપ હેક કરી મહિલાના ઇન્ડુસન બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂ.5,50,000 ખાતામાં ટ્રાન્સફર કરી રૂપિયા પડાવી મહિલા સાથે ઠગાઈ કરી હોવાની...