આ પ્રશ્નને લઈને અગરીયા આગેવાનો દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને રૂબરૂ રજુઆત કરી ઘટતું કરવા માંગણી
હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર મીઠાના અગર માં પાણી ભરાઈ જવાના બનાવો બને છે જેના કારણે અગરિયાઓને મોટી નુકસાની વેઠવી પડે છે. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી
હળવદ પંથકના કિડી, ટીકર, ખોડ સહિતના રણ વિસ્તારમાં નર્મદાનુ પાણી ઘૂસતા વેડફાટ થઇ રહેલ પાણી અગરીયાના મિઠાના પાટા સુધી પહોચ્યું છે જેને લઈને અગરીયાઓને આર્થિક નુકશાનીની ભીતિ સેવાઇ રહી છે. અગરિયાઓને મોં માં આવેલો કોળીયો છીનવાઇ જાય તેવી ભીતી સેવાઈ રહી છે.કેનાલમાંથી વેડફાટા મહામુલા પાણી રણમા ભરાવાનો સીલસીલો આગામી સમયમાં અટકશે નહીં તો મિઠા પાટા પાણીમા ગરકાવ થઈ જશે જેના પરિણામે અગરીયાઓની મહેનત એળે જાય તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. આ પ્રશ્નને લઈને અગરીઆ ભાઈઓની પરેશાની પારખી અગ્રણી છત્રસિંહ (પપ્પુભાઇ) ઠાકોરે. સનતભાઈ ડાભી, ભરતભાઈ રાઠોડ રતનસિંહ સરપંચ વગેરે આગેવાનો દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને રૂબરૂ રજુઆત કરી ઘટતું કરવા માંગ ઉઠાવી છે.
ટંકારા તાલુકાના મીતાણા ગામે કોઈ ઝેરી જનાવર કરડી જતા વૃદ્ધ મહિલાનુ સારવાર દરમ્યાન મોરબી સિવીલ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામે રહેતા લીલાબેન દેવજીભાઈ પારધી (ઉ.વ.૬૫) નામના વૃદ્ધ મહિલા પોતાના ઘરે હોય તે વખતે જમણાં હાથમાં કંઈક ઝેરી જનાવર કરડી જતા પ્રથમ સારવાર ટંકારા...
મોરબી શહેર તેમજ જીલ્લામાં દારૂબંધી માત્ર નામની રહી છે અવારનવાર દારૂ ભરેલા ટ્રક ઝડપાઈ રહ્યા છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમા રામકુવા વાડી શેરીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૨૭ બોટલ કિં રૂ. ૯૩૬૯ રૂપિયાનો મુદ્દામાલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર...