આ પ્રશ્નને લઈને અગરીયા આગેવાનો દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને રૂબરૂ રજુઆત કરી ઘટતું કરવા માંગણી
હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર મીઠાના અગર માં પાણી ભરાઈ જવાના બનાવો બને છે જેના કારણે અગરિયાઓને મોટી નુકસાની વેઠવી પડે છે. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી
હળવદ પંથકના કિડી, ટીકર, ખોડ સહિતના રણ વિસ્તારમાં નર્મદાનુ પાણી ઘૂસતા વેડફાટ થઇ રહેલ પાણી અગરીયાના મિઠાના પાટા સુધી પહોચ્યું છે જેને લઈને અગરીયાઓને આર્થિક નુકશાનીની ભીતિ સેવાઇ રહી છે. અગરિયાઓને મોં માં આવેલો કોળીયો છીનવાઇ જાય તેવી ભીતી સેવાઈ રહી છે.કેનાલમાંથી વેડફાટા મહામુલા પાણી રણમા ભરાવાનો સીલસીલો આગામી સમયમાં અટકશે નહીં તો મિઠા પાટા પાણીમા ગરકાવ થઈ જશે જેના પરિણામે અગરીયાઓની મહેનત એળે જાય તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. આ પ્રશ્નને લઈને અગરીઆ ભાઈઓની પરેશાની પારખી અગ્રણી છત્રસિંહ (પપ્પુભાઇ) ઠાકોરે. સનતભાઈ ડાભી, ભરતભાઈ રાઠોડ રતનસિંહ સરપંચ વગેરે આગેવાનો દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને રૂબરૂ રજુઆત કરી ઘટતું કરવા માંગ ઉઠાવી છે.
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...