હળવદ મામલતદાર ના અનુદાનથી હળવદ 3 પ્રાથમિક શાળામાં તિથીભોજન, મામલતદારે બાળકો સાથે ભોજન લીધુ
કોરોના મહામારીને પગલે લગભગ બે વર્ષ જેટલો સમય બંધ રહ્યા બાદ મધ્યાહ્ન ભોજન શરુ કરાયું છે ત્યારે હળવદ મામલતદારે બાળકો સાથે બેસી ભોજન લીધું હતું, સમાજ ને એક નવો રાહ ચિંધ્યો હતો.હળવદ મામલતદાર એન એસ ભાટીના અનુદાનથી ૩ પ્રાથમિક શાળામાં તિથીભોજનથી પીએમ પોષણ (મધ્યાહન ભોજન યોજના) ની કોરોના કાળ બાદ અંદાજે ૭૦૦ દિવસ પછી પુનઃ શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે હળવદ મામલતદાર ને.એસ. ભાટી એ બાળકો સાથે બેસી ભોજન લીધું સમાજ ને નવો રાહ ચિંધ્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...