હળવદ: હળવદ તાલુકામાંથી પસાર થતી માલણીયાદ માઈનોર ડી-17 કેનાલ મારફતે ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. પરંતુ કેનાલ સાફ સફાઈના અભાવે તમામ ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી. જેના કારણે ખેડૂતોનો તલ, ગુવાર સહિતના પાક સુકાવા લાગે છે. જેથી વેગડવાવ, લીલાપુર, બુટવડા સહિતના ગામોના ખેડૂતો દ્વારા શક્તિનગર પાસે કેનાલમાં ઉતરી સાફ સફાઈ કરવા મજબૂર બન્યા છે. આ કેનાલ મારફતે શક્તિનગર, વેગડવાવ, ઘણાદ ,બુટવડા, લીલાપુર, મંગળપુર, માલણીયાદ અને ઈશનપુર સહિતના ગામોની 15 હજાર હેકટર જમીનમાં પિયતનો લાભ મળે છે.
હળવદ તાલુકામાંથી પસાર થતી કેનાલો દ્વારા ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. પરંતુ કેનાલોની સાફ સફાઈના અભાવે છેવાડાના ખેડૂતો સુધી પિયતનું પાણી મળતું નથી. અને મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવેતર કરેલો ખેડૂતોનો પાક સુકાવા લાગે છે. જેથી ખેડૂતોને મોટું નુકસાન પણ થાય છે. જેના કારણે ફરી ખેડૂતો જાતે કેનાલમાં ઉતરી સાફ સફાઈ કરવા મજબૂર બન્યા છે. વેગડવાવ, લીલાપુર, બુટવડા સહિતના ગામોના ખેડૂતો એકઠા થઈને શક્તિનગર પાસે માલણીયાદ માઈનોર ડી-17 કેનાલમાં જાતે ઉતરી સફાઈ કરી રહ્યાં છે. આ કેનાલ મારફતે શક્તિનગર, વેગડવાવ, ઘણાદ ,બુટવડા, લીલાપુર, મંગળપુર, માલણીયાદ અને ઈશનપુર સહિતના ગામોની 15 હજાર હેકટર જમીનમાં પિયતનો લાભ મળે છે.
ત્રણ મહિના પહેલા જ કેનાલ સાફ સફાઈ થઈ હોવાનું અધિકારીનું રટણ કેનાલમાં સાફ સફાઈ બાબતે ડેપ્યુટી ઈજનેર મેહુલભાઈ સાથે વાત કરતા તેમણે ત્રણ મહિના પહેલા જ કેનાલની સાફ સફાઈ કરવામાં આવી હોવાનું રટણ કરી રહ્યાં છે. પરંતુ સવાલ એ થાય કે ત્રણ મહિના પહેલા જ કેનાલની સફાઈ કરવામાં આવી હોય તો કેનાલની હાલત આવી હોય?. જોકે ખેડૂતો દ્વારા કેનાલની સફાઈ કરવામાં આવી રહી છે એ જોતા તમને લાગી રહ્યું છે કેનાલની સફાઈ યોગ્ય થઈ હશે?
મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં નેકસસ સિનેમા પાસે સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમ દારૂની ૩૦ બોટલ સાથે મોરબી તાલુકા પોલીસે દબોચી લીધો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના અમરેલી ગામની...
માળીયા કંડલા હાઈવે રોડ ઉપર ઓનેસ્ટ હોટલ નજીક આઇસર ગાડીમા ભરી લઈ જતા પશુ સાથે એક વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે ક્રાંતિ જ્યોત એપાર્ટમેન્ટ બ્લોક નં -૨૦૪ માં રહેતા નિકુંજભાઈ લલીતભાઈ ભુત (ઉ.વ.૩૧) એ આરોપી ઉમરભાઈ...
માળીયા જામનગર હાઈવે પર રાસંગપર ગોળાઇ બાજુ સંધવાણીની વાડી પાસે પતિ પત્ની વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થતાં પતિએ તેની પત્નીને માર મારી છરી વડે ઇજા પહોંચાડી હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા જામનગર હાઈવે પર રાસંગપર ગોળાઇ બાજુ સંધવાણીની વાડી પાસે રહેતા આશબાઈ યાસીનભાઈ જામ...