હળવદ: હળવદ તાલુકામાંથી પસાર થતી માલણીયાદ માઈનોર ડી-17 કેનાલ મારફતે ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. પરંતુ કેનાલ સાફ સફાઈના અભાવે તમામ ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી. જેના કારણે ખેડૂતોનો તલ, ગુવાર સહિતના પાક સુકાવા લાગે છે. જેથી વેગડવાવ, લીલાપુર, બુટવડા સહિતના ગામોના ખેડૂતો દ્વારા શક્તિનગર પાસે કેનાલમાં ઉતરી સાફ સફાઈ કરવા મજબૂર બન્યા છે. આ કેનાલ મારફતે શક્તિનગર, વેગડવાવ, ઘણાદ ,બુટવડા, લીલાપુર, મંગળપુર, માલણીયાદ અને ઈશનપુર સહિતના ગામોની 15 હજાર હેકટર જમીનમાં પિયતનો લાભ મળે છે.
હળવદ તાલુકામાંથી પસાર થતી કેનાલો દ્વારા ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. પરંતુ કેનાલોની સાફ સફાઈના અભાવે છેવાડાના ખેડૂતો સુધી પિયતનું પાણી મળતું નથી. અને મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવેતર કરેલો ખેડૂતોનો પાક સુકાવા લાગે છે. જેથી ખેડૂતોને મોટું નુકસાન પણ થાય છે. જેના કારણે ફરી ખેડૂતો જાતે કેનાલમાં ઉતરી સાફ સફાઈ કરવા મજબૂર બન્યા છે. વેગડવાવ, લીલાપુર, બુટવડા સહિતના ગામોના ખેડૂતો એકઠા થઈને શક્તિનગર પાસે માલણીયાદ માઈનોર ડી-17 કેનાલમાં જાતે ઉતરી સફાઈ કરી રહ્યાં છે. આ કેનાલ મારફતે શક્તિનગર, વેગડવાવ, ઘણાદ ,બુટવડા, લીલાપુર, મંગળપુર, માલણીયાદ અને ઈશનપુર સહિતના ગામોની 15 હજાર હેકટર જમીનમાં પિયતનો લાભ મળે છે.
ત્રણ મહિના પહેલા જ કેનાલ સાફ સફાઈ થઈ હોવાનું અધિકારીનું રટણ કેનાલમાં સાફ સફાઈ બાબતે ડેપ્યુટી ઈજનેર મેહુલભાઈ સાથે વાત કરતા તેમણે ત્રણ મહિના પહેલા જ કેનાલની સાફ સફાઈ કરવામાં આવી હોવાનું રટણ કરી રહ્યાં છે. પરંતુ સવાલ એ થાય કે ત્રણ મહિના પહેલા જ કેનાલની સફાઈ કરવામાં આવી હોય તો કેનાલની હાલત આવી હોય?. જોકે ખેડૂતો દ્વારા કેનાલની સફાઈ કરવામાં આવી રહી છે એ જોતા તમને લાગી રહ્યું છે કેનાલની સફાઈ યોગ્ય થઈ હશે?
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...