હળવદ: હળવદ તાલુકામાંથી પસાર થતી માલણીયાદ માઈનોર ડી-17 કેનાલ મારફતે ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. પરંતુ કેનાલ સાફ સફાઈના અભાવે તમામ ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી. જેના કારણે ખેડૂતોનો તલ, ગુવાર સહિતના પાક સુકાવા લાગે છે. જેથી વેગડવાવ, લીલાપુર, બુટવડા સહિતના ગામોના ખેડૂતો દ્વારા શક્તિનગર પાસે કેનાલમાં ઉતરી સાફ સફાઈ કરવા મજબૂર બન્યા છે. આ કેનાલ મારફતે શક્તિનગર, વેગડવાવ, ઘણાદ ,બુટવડા, લીલાપુર, મંગળપુર, માલણીયાદ અને ઈશનપુર સહિતના ગામોની 15 હજાર હેકટર જમીનમાં પિયતનો લાભ મળે છે.
હળવદ તાલુકામાંથી પસાર થતી કેનાલો દ્વારા ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. પરંતુ કેનાલોની સાફ સફાઈના અભાવે છેવાડાના ખેડૂતો સુધી પિયતનું પાણી મળતું નથી. અને મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવેતર કરેલો ખેડૂતોનો પાક સુકાવા લાગે છે. જેથી ખેડૂતોને મોટું નુકસાન પણ થાય છે. જેના કારણે ફરી ખેડૂતો જાતે કેનાલમાં ઉતરી સાફ સફાઈ કરવા મજબૂર બન્યા છે. વેગડવાવ, લીલાપુર, બુટવડા સહિતના ગામોના ખેડૂતો એકઠા થઈને શક્તિનગર પાસે માલણીયાદ માઈનોર ડી-17 કેનાલમાં જાતે ઉતરી સફાઈ કરી રહ્યાં છે. આ કેનાલ મારફતે શક્તિનગર, વેગડવાવ, ઘણાદ ,બુટવડા, લીલાપુર, મંગળપુર, માલણીયાદ અને ઈશનપુર સહિતના ગામોની 15 હજાર હેકટર જમીનમાં પિયતનો લાભ મળે છે.
ત્રણ મહિના પહેલા જ કેનાલ સાફ સફાઈ થઈ હોવાનું અધિકારીનું રટણ કેનાલમાં સાફ સફાઈ બાબતે ડેપ્યુટી ઈજનેર મેહુલભાઈ સાથે વાત કરતા તેમણે ત્રણ મહિના પહેલા જ કેનાલની સાફ સફાઈ કરવામાં આવી હોવાનું રટણ કરી રહ્યાં છે. પરંતુ સવાલ એ થાય કે ત્રણ મહિના પહેલા જ કેનાલની સફાઈ કરવામાં આવી હોય તો કેનાલની હાલત આવી હોય?. જોકે ખેડૂતો દ્વારા કેનાલની સફાઈ કરવામાં આવી રહી છે એ જોતા તમને લાગી રહ્યું છે કેનાલની સફાઈ યોગ્ય થઈ હશે?
મોરબી કચ્છ હાઈવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ સામે હાઈવે રોડ ઉપર પસાર થતા મોટા વાહન નીચે પડતું મુકતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના વતની કમલ ભોગીરામ પરમાર (ઉ.વ.૪૯) નામના આધેડે પોતાની જાતે મોરબી કચ્છ હાઈવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ સામે હાઈવે રોડ ઉપર પસાર થતા...
મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડી વિસ્તાર રાજેશભાઈની વાડીએ ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડી વિસ્તાર રાજેશભાઈની વાડીએ અમીરચંદ સીતારામ ડાવર (ઉ.વ.૩૫) નામના યુવકે કોઈ કારણસર ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...
વરસે તો ચોમાસુ પાકના ઢગલા કરતા મઘા નક્ષત્રનો આવતી કાલે મોડી રાત થી પ્રારંભ: મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે
ભારતમાં ચોમાસું નક્ષત્રોના આધારે હોય છે. આપણા શાસ્ત્રોમાં નક્ષત્રોનું અનેરું મહત્વ હોય છે. નક્ષત્રો પરથી વરસાદનો વરસાતા કાઢનારા અનેક આગાહી શાસ્ત્રો આપણા દેશમાં છે. ત્યારે...