ગુજરાત સરકાર દ્વારા કિસાનો માટે ની રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ અંગે માહિતીગાર કરવા એપીએમસી ખાતે યોજાયેલ નમો કિશન પંચાયતમાં હાજર રહેલ બંને જિલ્લાના ભાજપના આગેવાનો દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિવિધ ખેડૂતલક્ષી કામો હાજર રહેલ કાર્યકર્તાઓને તેમજ ખેડૂતોને જણાવ્યા હતા સાથે જ દરેક ખેડૂત કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ મોરબી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુભાઈ ઠાકોર,પ્રદેશ કારોબારી સભ્ય રજનીભાઈ સંઘાણી, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ,મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી,હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ બકુબેન પઢીયાર,હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પારેજીયા તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા તેમજ હળવદ-ધાંગધ્રા ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, હળવદ એપીએમસી ખાતે ધાંગધ્રા હળવદની સંયુક્ત નમો કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં નમો કિસાન પંચાયત ચાલુ થયા બાદ થોડીજ મિનિટોમાં ખેડૂતો તેમજ ભાજપના કાર્યકર્તાઓએ ચાલતી પકડી હતી તો એક એ પણ વાત સામે આવી છે કે હાલ ઉનાળો ચાલુ થઈ ગયો હોય જેથી જે હોલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાં ભારે બફારાના કારણે કાર્યકર્તાઓ અને ખેડૂતોને અકળામણ થઈ હતી.
મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય, તેમજ ડેમની સંગ્રશક્તિના 100% ડેમ ભરાયેલ હોય જેથી ડેમનો 01 દરવજો 02 ઈંચ ખોલવામાં આવેલ છે.
જેથી નીચવાસમાં આવતા ગામો જેમ કે મોરબી તાલુકના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા,...
મોરબીમાં વર્ષ ૨૦૧૫માં થયેલ માસૂમ નિખિલ ધામેચા હત્યા કેસમાં નવી હલચલ સર્જાઈ છે. હાઇકોર્ટના આદેશ બાદ તપાસ હાથ ધરનાર સીબીઆઈને હવે મહત્વપૂર્ણ અને મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. આ પુરાવાઓના આધારે આવનારા દિવસોમાં હત્યારાઓ બેનકાબ થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. નિખિલ ધામેચા માત્ર ૧૪ વર્ષનો વિદ્યાર્થી હતો,...
ટંકારા લતીપર હાઈવે રોડ ઉપર સાલીગ્રામ સિગ્નેટ કોમ્પલેક્ષ ગોકુલધામ ખાતે પ્લાસ્ટર કામ કરતી વખતે દિવાલ નમી જતા બંને દિવાલ વચ્ચે દબાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા ઇન્દ્રપ્રસ્થ -૩ ના ગ્રાઉન્ડ બહાર રહેતા લુઇસભાઈ સીરીલભાઈ વસુનીયા (ઉ.વ.૨૭) નામનો યુવક...