રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ 2021 નું પરિણામ જાહેર થયું હતું જેમાં હળવદની શ્રીRMSA સરકારી માધ્યમિક શાળા વેગડવાવ ના ધોરણ ૭માં અભ્યાસ કરતા બે વિધાર્થીઓ મોરી નેહલ નારાયણભાઈ અને આલ સત્યમ સિંધાભાઈએ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માં સમગ્ર ગુજરાતમાં મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં ચોથો અને પાંચમો ક્રમ મેળવી શાળા નું તેમજ વેગડવાવ ગામનું ગૌરવ વધારે છે આ તકે શાળાના આચાર્યશ્રી માધુરીબેન માલવણિયા તેમજ શિક્ષકો કિરીટ ભાઈ ચૌહાણ અને ભાવેશભાઈ ડાંગર બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જીવનમાં સફળતાના શિખરો સર કરો તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ગત વર્ષે પણ આ શિષ્યવૃત્તિ પરીક્ષા માં શાળાના છ જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતાં
પોરબંદરના 75 વર્ષ ના દાદા ને પડી જતા પીઠના D11 અને D12 મણકાની ભાંગ તૂટ (fracture) થયેલ. જેથી ઉભા રહેવામા તેમ જ ચાલવામા ખૂબ તકલીફ થતી (paraparesis) અને કમર નો અસહ્ય દુખાવો (backpain) થતો હતો.
ઉમર ને લીધે તેમના મણકા પોલા પડી ગયા (osteoporosis) હોવાથી ઓપરેશન વડે મુકેલ સ્ક્રૂ ફેઇલ...
મોરબી જિલ્લા પંચાયત દ્વારા ટંકારા તાલુકાની વીરપર ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવી છે.
જેમાં સ્માર્ટ વિલેજમાં જોઈતા બધા માપદંડ જેવા કે વ્યક્તિગત તથા સામુહિક વિકાસના કાર્યક્રમો દ્વારા ગ્રામ પંચાયત તે અને સરપંચ દ્વારા પોતાની ફરજો અને જવબદારીઓ અદા કરી શહેર ની માફક ગામનૉ વિકાસ થાય અને ગ્રામ્ય...
મોરબી ગામ એવું એક ગામ છે કે જ્યાં સતત કંઈકને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી જ હોય છે. કોરોના કાળમાં જ્યારે લોકોને લોહીની જરૂર હતી ત્યારે મોરબીમાં અનેક જગ્યાએ રક્તદાન કેમ્પઓનું આયોજન થયું હતું અને ઘણી બોટલો રકત એકત્ર થયું હતું,એવી જ રીતે કોઈ વ્યક્તિની પુણ્યતિથિ હોય કે કોઈ વ્યક્તિનું મૃત્યુ...