મોરબી જિલ્લામાં વ્યાજખોરો દ્વારા તગડા વ્યાજે નાણાં ધરી બાદમાં વ્યાજે લિધેલા નાણાં પરત ન આપી શકતાં આવાં લોકો ની જમીન મકાન અને મિલ્કતો પચાવી પાડવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે અને આવા કિસ્સાઓમાં મોટા ભાગે પોલીસ ફરિયાદ કરવામાં ન આવતી હોય વ્યાજખોરો બેફામ બની તગડું વ્યાજ વસુલતા રહેછે અવાજ એક કિસ્સામાં હળવદ પોલીસ દફતરે એક વેપારીએ ૧૫ જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે
મળતી માહિતી મુજબ હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ હિમતલાલ શેઠ એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી લગધીરભાઈ રબારી, વિજયભાઈ રધુભાઇ રબારી, હિરેનભાઈ પટેલ, વસંતભાઈ મોરી હળવદ ગોરી ગેસ એજન્સીના ભાગીદાર, તેજસભાઈ દવે જી માર્ટ ફર્નીચર હળવદ, જયરામભાઈ દલવાડી, પ્રભુભાઈ રબારી, જીલાભાઈ ભરવાડ, હર્ષદભાઈ રબારી, રવિભાઈ રબારી, મુકેશભાઈ ભરવાડ, મનોજભાઈ રબારી, લખમણભાઈ ભરવાડ, ભરતસિંહ ગોહિલ અને કિરણભાઈ બ્રાહ્મણ પાસેથી જુદી જુદી રકમ અને જુદા જુદા વ્યાજદરે નાણા લીધેલ હોય જે નાણાની આરોપીઓએ ગેરકાયદેસર ઉચું વ્યાજ વસુલવા વધુ વ્યાજની પઠાણી ઉધરાણી કરી ફરિયાદી હિતેશભાઈ શેઠને રૂબરૂ તેમજ ફોનમાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવાય છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. ભગવાન શ્રી કૃષ્ણ 64 કળામાં પારંગત હતા. કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા ઉપદેશ પોતાના જીવનમાં અનુસરી શકે છે. આમ કરવાથી તેમને ક્યારેય નિષ્ફળતાનો સામનો કરવો નહીં પડે.
હકીકતમાં તહેવારને લઇ વિદ્યાર્થીઓમાં ખાસ...
આપણા ત્યાં શ્રીકૃષ્ણનો જન્મ એટલે કે જન્માષ્ટમી ના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ-ડાયમંડનગર દ્વારા આખા ગામને કેસરી ધજા તેમજ રોશની થી શણગારી...
મોરબી મહાનગરપાલિકા (MMC) દ્વારા શહેરના પીવાના પાણીના મુદ્દાને દૃઢતાથી ઉકેલવા માટે મોરબી શહેરમાં લાંબા ગાળાના પીવાના પાણી પુરવઠા માટે સરદારબાગ હેડવર્કસ થી પીવાના પાણી નું વિતરણ થતા વિસ્તારમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાખવાના કામની રકમ રૂ.૨૧.૧૪ કરોડ ની મંજુરી મળેલ છે.
સદર કામમાં સરદારબાગ ના દૂરના વિસ્તારોના રહેવાસીઓને પાણીના અપૂરતા...