ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા ભારત દેશ ને આઝાદી મળ્યા ના ૭૫ વર્ષ પૂર્ણ થતાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ૭૫ બાઈક સાથે બાઈક રેલી ગુજરાત ભર માં પરિભ્રમણ કરશે અને દરેક જિલ્લા અને તાલુકા મથકે થી માં ભારતી ની રક્ષા કાજે પોતાના પ્રાણ ની આહુતિ આપનાર વીર જવાનો ના ઘર ના ફળિયા ની પવિત્ર માટી કળશ માં એકત્ર કરવામાં આવશે અને ગુજરાત ના વિવિધ સ્થળો થી એકત્ર કરેલ વીર બલિદાની ના ફળિયા ની માટી ના કળશ નું સમૂહ માં પૂજન કરવામાં આવશે તે અંતર્ગત હળવદ તાલુકાના કોયબા ગામ ના પનોતા પુત્ર શ્રી વનરાજસિંહ ઝાલા જેઓ ભારતીય સેના માં ફરજ બજાવતા હતા અને ૧૯૭૧ માં થયેલ કારગીલ યુદ્ધ માં દુશ્મનો સાથે ની લડાય માં માં ભારતી ની રક્ષા કાજે પોતાના પ્રાણ ની આહુતિ આપી હતી ત્યારે આજરોજ હળવદ યુવા ભાજપ દ્વારા વીર બલિદાની સ્વ.વનરાજસિંહ ઝાલા ના કોયબા ખાતે ના ઘર ના ફળિયા ની પવિત્ર માટે કળશ માં એકત્ર કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યકમ માં મોરબી જિલ્લા પંચાયત ના પ્રમુખ ચંદુભાઈ શિહોરા , મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી , વાસુદેવભાઇ સિનોજીયા રજનીભાઇ સંઘાણી ,ઉપેન્દ્રસિંહ ઝાલા, તપનભાઇ દવે, નયનભાઈ દેત્રોજા , રવિ પટેલ અને કોયાબા ગામ ના સરપંચ દેવેન્દ્રસિંહ ઝાલા , વીર બલિદાની સ્વ. વનરાજસિંહ પરિવાર ના સુખદેવસિંહ , કિશોરસિંહ બનનાભાઈ તથા ભારતીય સેના ના નિવૃત્ત જવાન માનસંગભાઈ ચૌહાણ સહિત ગામ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વાજતે ગાજતે ઢોલ નગારા સાથે જઈને વીર બલિદાની ના ઘર ના ફળિયા ની પવિત્ર માટી કળશ માં એકત્ર કરવામાં આવી હતી અને ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નાદ થી કૉયબા ગામ ની શેરીઓ ગુંજી ઉઠી હતી અને ગામ માં દેશભક્તિ મય વાતાવરણ બન્યું હતું
આ કાર્યક્રમ ને સફળ બનાવવા હળવદ તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ લોરિયા , અજયસિંહ ઝાલા , રમેશ હડિયલ, વિકાસ કુરિયા , કુલદીપસિંહ રાઠોડ , મનોજ રબારી , શૈલેષ પરમાર , રામજી સોનાગ્રા , જીલાભાઈ ભરવાડ સહિતનાઓ એ ભારે જહેમત ઉઠાવી હતી
રવી પરીખ હળવદ
મોરબીના મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસના જવાનાએ કર્યા યોગ - પ્રાણાયામ ધ્યાન
મોરબી: આજની આ ભાગ દોડ વાળી જીદંગીમાં લોકો અસ્ત,વ્યસ્ત અને અનેક રોગોથી ગ્રસ્ત અને ત્રસ્ત હોય છે, એમાંય વળી પોલીસ તરીકેની ફરજ ખુબજ આકરી હોય છે, પોલીસના જવાનો પોતાની ફરજના કારણે સમયસર જમી શકતા નથી,સમયસર ઉંઘ લઈ શકતા...
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્કૂલો અને હોસ્પિટલોમાં સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનીંગ આપવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા.૨૯ એપ્રિલ થી ૦૪ મેં સુધી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ પૈકી ૦૩ હોસ્પિટલમાં ૪૮ હેલ્થકેર સ્ટાફને, શાળા પૈકી ૦૩ શાળા ૪૩૦ સ્ટાફને હોટલ પૈકી ૦૩ હોટલ ના...
મોરબી જિલ્લામાં સૌથી વધુ વાંકાનેરના પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.76% પરિણામ, સૌથી ઓછું ચરાડવા કેન્દ્રનું 81.84% પરીણામ
આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યનું કૂલ પરિણામ 83.08 ટકા આવ્યું છે. 89.29 ટકા સાથે બનાસકાંઠા...