તાજેતર માં રાજ્ય સરકાર દ્વારા બીજા કોઈ ની જમીન પચાવી પાડનારરા જમીન માફિયાઓને ઝેર કરવા ઘડી કાઢેલા ખાસ લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ પાછલા દિવસો માં સમગ્ર હળવદ પંથક માં લેન્ડ ગ્રેબિંગ ના કેસ માં દિન પ્રતિદિન વધારો થઈ રહયો છે ત્યારે હળવદ ના ખેતરડી ગામે નિવૃત આર્મીમેન ને સાંથણી માં અપાયેલી જમીન ખાલસા થઇ ગઇ હોવા છતાં આ જમીન ઉપર કબજો કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના ખેતરડી ગામે નિવૃત આર્મીમેન અંબિકા પ્રસાદ ત્રિવેદીને સરકાર દ્વારા 1976માં સાંથણી માં ખેતરડી ગામ ની સીમ સરવે નંબર 183 પૈકીની જમીન સરકાર તરફથી ફાળવવામાં આવી હતી જોકે આ જમીન અંબિકા પ્રસાદ ત્રિવેદીને શેઢા પાડોશી ને વાવવા માટે આપ્યા બાદ સરકાર દ્વારા આ જમીન ખાલસા કરવામાં આવી હતી જે જમીન પરત મેળવવા અંબિકા પ્રસાદ ના ભાણેજ એવા રવિભાઈ એ કલેક્ટરનું અપીલ કરી હોય અને કેસ ચાલતો હોય તેઓ જમીન ઉપર ગયા હતા ગયા હતા ત્યારે આરોપી મૈયાભાઈ પેથાભાઈ ભરવાડ, જગા ભાઈ વહાભાઈ ભરવાડ, તથા લાલાભાઈ વીરાભાઇ ભરવાડે આ જમીનમાં લીંબુનું વાવેતર કરેલ હતું જ્યારે આ જમીન ખાલી કરવાનું જણાવતા આરોપીઓ એ ધમકી આપતા અને અહીંયા ફરીથી નહીં આવવાની ધમકી આપી હતી છે જેને પગલે આ જમીનનું કુલમુખત્યારનામું ધરાવતા રવિભાઈ એ આ અંગે અરજી કરતાં કરતાં હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. રિપોર્ટ – રવી પરીખ હળવદ
હળવદ તાલુકાના ચૂપણી ગામે આજે મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન જોવા મળ્યું. ગામના આગેવાનોએ તેમજ સ્થાનિક સમર્થકોએ ભાજપ અને કોંગ્રેસથી નારાજી વ્યક્ત કરીને આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણાયક પગથિયા ભર્યા.
જેઓ પાર્ટી સાથે જોડાયા તેમાં મુખ્યરૂપે નીચેના આગેવાનોનો સમાવેશ થાય છે:
રાયમલભાઈ કલાભાઈ, નેતાભાઈ બુટાભાઈ, કારાભાઈ, દિગુભા નરૂભા, ભીમાભાઈ ગોવિંદભાઈ, કાનાભાઈ સુખાભાઈ,...
આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ સામેલ કર્યા છે જે હેઠળ લાભાર્થીઓ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મેળવી શકે છે આયોજન માટે લાયક લોકોએ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવું પડે જેને લઈ આજરોજ મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા ના વનાળિયા ખાતે...
સૌરાષ્ટ્રમાં વરસાદની કમીના કારણે ઘણા ડેમો ખાલી છે જે નર્મદાના નીર થકી ભરવારા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યુ છે કે હાલમાં નર્મદા ડેમ કેચમેન્ટ એરિયાના વરસાદના કારણે ડેમમાં પાણી આવેલ છે. અને વધારાનું પાણી ગેઇટ...