આગામી રવિવારે તા.17 એપ્રિલના રોજ સવારે પક્ષીઓ માટે પાણીના કુંડાઓ તથા અબોલ પશુઓ માટે પાણીની સિમેન્ટની કુંડીઓનું વિતરણ કરવામાં આવશે.
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષીઓને ઉનાળાની ગરમીમાં પાણી મળી રહે તેવા હેતુથી પક્ષીઓ માટે પાણીના કૂંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આની સાથેજ અબોલ પશુઓને જેમકે ગાય,કૂતરાઓ,બિલાડી વગેરેને પણ પાણી મળી રહે તે માટે સિમેન્ટની કુંડીઓનું પણ રાહત ભાવ (ફક્ત રૂપિયા 80)થી વિતરણ કરવા માં આવશે. આ કુંડીમાં 8થી 9 લીટર જેટલું પાણી ભરી શકાય છે.
કુંડીઓનું વિતરણની 17 એપ્રિલ, રવિવાર સવારે 10 વાગ્યેથી સુભાષ ચોક, સરદાર બાગની સામે, ૐ શાંતિ સ્કૂલ પાસે, શનાળા રોડ મોરબી ખાતેથી કરવામાં આવશે. આ વિતરણમાં વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવા જણાવ્યું છે.
પોરબંદરના 75 વર્ષ ના દાદા ને પડી જતા પીઠના D11 અને D12 મણકાની ભાંગ તૂટ (fracture) થયેલ. જેથી ઉભા રહેવામા તેમ જ ચાલવામા ખૂબ તકલીફ થતી (paraparesis) અને કમર નો અસહ્ય દુખાવો (backpain) થતો હતો.
ઉમર ને લીધે તેમના મણકા પોલા પડી ગયા (osteoporosis) હોવાથી ઓપરેશન વડે મુકેલ સ્ક્રૂ ફેઇલ...
મોરબી જિલ્લા પંચાયત દ્વારા ટંકારા તાલુકાની વીરપર ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવી છે.
જેમાં સ્માર્ટ વિલેજમાં જોઈતા બધા માપદંડ જેવા કે વ્યક્તિગત તથા સામુહિક વિકાસના કાર્યક્રમો દ્વારા ગ્રામ પંચાયત તે અને સરપંચ દ્વારા પોતાની ફરજો અને જવબદારીઓ અદા કરી શહેર ની માફક ગામનૉ વિકાસ થાય અને ગ્રામ્ય...
મોરબી ગામ એવું એક ગામ છે કે જ્યાં સતત કંઈકને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી જ હોય છે. કોરોના કાળમાં જ્યારે લોકોને લોહીની જરૂર હતી ત્યારે મોરબીમાં અનેક જગ્યાએ રક્તદાન કેમ્પઓનું આયોજન થયું હતું અને ઘણી બોટલો રકત એકત્ર થયું હતું,એવી જ રીતે કોઈ વ્યક્તિની પુણ્યતિથિ હોય કે કોઈ વ્યક્તિનું મૃત્યુ...