મોરબી જિલ્લાનાં ૧૨ થી ૧૪ વર્ષનાં બાળકો ને કોરોના વેકસીન આપવામાં આવશે. જેમાં આવતીકાલ તા. ૧૬થી કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવાની શરૂઆત થશે. હાલ જિલ્લામાં આશરે કુલ ૪૨૫૭૦ બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા આયોજન છે.જેમાં મોરબી તાલુકામાં 17946, ટંકારમાં 5257, માળીયા મી. માં 3111, વાંકાનેરમાં 9992, હળવદમાં 6264 વિદ્યાર્થીઓને જે તે શાળામાંજ રસીકરણ કરાશે. તેમજ હવે 60 વર્ષથી વધુ વયના તમામ નાગરીકો પ્રિકોશન ડોઝ લઇ શકશે
સરકારની સૂચના અનુસાર ગુજરાત રાજયમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટેનું આયોજન કરેલ હોય, તેના અનુસંધાને મોરબી જીલ્લામાં પણ આવતીકાલે તા. ૧૬થી ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન (કોવિક્સ) આપવાની શરૂઆત કરવામાં આવનાર છે. જેમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને શાળામાં અભ્યાસ કરતા મોરબી તાલુકામાં કુલ ૧૭૯૪૬ માળીયા તાલુકામાં ૩૧૧૧, વાંકાનેર તાલુકામાં ૯૯૯૨, ટંકારા તાલુકામાં ૫૨૫૭, તથા હળવદ તાલુકામાં ૬૨૪, આમ જીલ્લાના આશરે કુલ ૪૨૫૭૦ બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટે મોરબી જિલ્લામાં આયોજન કરેલ છે.
મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં...
હળવદ તાલુકાના મયુરનગર ગામના ઝાંપા પાસે આધેડ બેઠેલ હોય ત્યારે આરોપી ત્યાં આવી આધેડને જાતી પ્રત્યે હડધૂત કરી ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી પથ્થર વડે ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા અશોકભાઇ હીરાભાઈ સોલંકી (ઉ.વ.૪૫)...
રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર મીતાણા ગામે મેલડી માતાજીના મંદિર નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર ટપી સામેની સાઈડ બીજી કાર સાથે અથડાઈ અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના ભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ...