મોરબી જિલ્લાનાં ૧૨ થી ૧૪ વર્ષનાં બાળકો ને કોરોના વેકસીન આપવામાં આવશે. જેમાં આવતીકાલ તા. ૧૬થી કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવાની શરૂઆત થશે. હાલ જિલ્લામાં આશરે કુલ ૪૨૫૭૦ બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા આયોજન છે.જેમાં મોરબી તાલુકામાં 17946, ટંકારમાં 5257, માળીયા મી. માં 3111, વાંકાનેરમાં 9992, હળવદમાં 6264 વિદ્યાર્થીઓને જે તે શાળામાંજ રસીકરણ કરાશે. તેમજ હવે 60 વર્ષથી વધુ વયના તમામ નાગરીકો પ્રિકોશન ડોઝ લઇ શકશે
સરકારની સૂચના અનુસાર ગુજરાત રાજયમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટેનું આયોજન કરેલ હોય, તેના અનુસંધાને મોરબી જીલ્લામાં પણ આવતીકાલે તા. ૧૬થી ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન (કોવિક્સ) આપવાની શરૂઆત કરવામાં આવનાર છે. જેમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને શાળામાં અભ્યાસ કરતા મોરબી તાલુકામાં કુલ ૧૭૯૪૬ માળીયા તાલુકામાં ૩૧૧૧, વાંકાનેર તાલુકામાં ૯૯૯૨, ટંકારા તાલુકામાં ૫૨૫૭, તથા હળવદ તાલુકામાં ૬૨૪, આમ જીલ્લાના આશરે કુલ ૪૨૫૭૦ બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટે મોરબી જિલ્લામાં આયોજન કરેલ છે.
મોરબી લાલબાગ સેવા સદનમાં કરોડો રૂપિયાના વહીવટ અને નોંધણી થતી હોવા છતાં સેવાસદનમાં પાયાની સુવિધાઓના અભાવ મુદ્દે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ તંત્ર પર આક્ષેપો કરી આકરા પ્રહારો કર્યા હતા.
આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોરબી...