ગુજરાત પ્રદેશ ભાજપ ના શિસ્ત સમિતિ ના ચેરમેન અને ભાજપ ના આગેવાન અને રાજકોટ ના સાંસદ મોહનભાઈ કુંડારિયા ના હોમ ગ્રાઉન્ડ માં શિસ્ત ના નામે લીરે લીરા ઉડાડવા માં આવી રહિયા છે
મોરબી નગરપાલિકા માં પ્રમુખ કુસુમબેન પરમાર ના પતિ જેને વહીવટી જ્ઞાનની ખામી છે છતાં પોતાની જાત ને પ્રમુખ માની પાલિકા નો વહીવટ કરી રહિયા છે તેમને હમણાં જ વોર્ડ નંબર ૧૧ ના લોકો ની પ્રાથમિક સુવિધા ના નામે રજૂઆત કરનાર વ્યક્તિ ને ગાળા ગાળી કરી માર મારવા ની ઘમકી આપી તેવીજ રીતે પોતાની જાત ને દેશ ભક્ત કહેવનાર અજય લોરિયા એ બેફામ વાણી વિલાસ કરી ભાજપ પક્ષ ની વિચારધારા ને બદનામ કરેલ છે એક જમીન પ્રકરણ માં પોતાની ભૂમિકા ના આક્ષેપ ની સામે સોશ્યલ મીડિયા માં ના બોલી શકાય કે ના સાભળી શકાય તેવા અપ સબ્દ નો માળો ચલાવી ભાજપ ની આબરૂ નું લીલામ કરેલ છે ત્યારે મોરબી માં રહેતા ભાજપ ના શિસ્ત સમિતિ ના ચેરમેન એવા રાજકોટ ના સાંસદ અને મોરબી ના રહેવાસી મોહનભાઈ કુંડારિયા આં બાબત પર શું ખુલાસો કરે છે તે પ્રજા જાણવા માંગે છે
જિલ્લા પંચાયત ના બાંધ કામ સમિતિ ના ચેરમેન અને મોરબી નગર પાલિકા ના પ્રમુખ ના પતિ બેફામ વાણી વિલાસ સાથે ગાળો અને ઘમકી આપી પ્રજા ને ડરાવવા ના પ્રયત્ન કરે છે ત્યારે આ મોરબી ના રહેવાસી અને રાજકોટ ના સાસંદ અને ભાજપ શિસ્ત સમિતિ ના ચેરમેન મોહન ભાઇ કુંડારિયા આં બાબતે ભાજપ ની નીશિસ્ત તોડતા અને પ્રજા ને ગાળા ગાળી કરતા લોકો સામે શું પગલાં લેશે એ પ્રજા જોવા માંગે છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી ની પ્રેસ યાદી જણાવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...