વાવડીના ગામના પાટીયા થી નારણકા સુધી ડામર પટી રોડ પેચવર્ક કરવા બાબતે કાર્યપાલ ઇજનેર ને આવેદન આપવામાં આવ્યું
મોરબી તાલુકાના વાવડી ના પાટીયા થી ખીજડીયા વનાળીયા નારણકા સુધી ડામર રોડ છે તે વાવડી ના પાટીયા થી વનાળીયા સુધીની ડામર પટ્ટી રોડ ગેરંટી પીરીયડમાં હોય તો કોન્ટ્રાક્ટર પાસેથી તાત્કાલિક રીપેરીંગ કરાવવામાં આવે તેમજ વનાળીયા થી માનસર,નારણકા સુધી રોડને પેચવર્ક કરવામાં આવે તેમજ મચ્છુ-3 ની પાઈપ લાઈન જે રોડ ક્રોસ કરે છે તે પણ રિપેરીંગ કરવામાં આવે તેવી માંગણી ગોર-ખીજડીયાનાં સરપંચ ગૌતમ મોરડીયા દ્વારા કરવામાં આવી છી તેમજ વધુમાં આ રોડ પર મોટા મસમોટા ખાડા પડી ગયા હોય અવાર-નવાર મોટરસાયકલ સવારો પડી જવાના બનાવો બનતા હોય છે આ રોડ પર રોજ બરોજ ધંધાર્થે કેટલાક યુવાનો મોરબી ખાતે જતા હોય ત્યારે ભવિષ્યમાં કોઇ મોટી અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી સત્વરે આ રોડ રીપેરીંગ કરવો ખૂબ જરૂરી હોય તે માટે આ રોડ હું સત્વરે રીપેરીંગ કરવાની માંગ કરાઇ છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...