ટંકારાના જીવાપર ગામે સગીરે ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી
ટંકારા: ટંકારા તાલુકાના જીવાપર ગામે જીજુ નદીના કાંઠે નવા હનુમાનજીના મંદિર સામે લીમડાના ઝાડની ડાળી સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ જતાં સગીરનુ મોત.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જીવાપર ગામની સીમ કેસુભાઈ પચોડીયાની વાડીએ રહેતા અશ્રિનભાઈ ધારજીભાઈ તલાટ (ઉ.વ.૧૬)એ કોઇ કારણોસર જીવાપર ગામની સીમમાં આવેલ જીજુ નદીના કાંઠે હનુમાનજી નવા મંદિરની સામે લીમડાના ઝાડની ડાળી સાથે ચુંદડી વળે ગળેફાસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.