ટંકારા: તારીખ 28-29 માર્ચના દિવસે બે દિવસીય મિટિંગનું આયોજન ટંકારામાં ખજૂરા હોટેલમાં પશ્ચિમ ભારત મજુર અધિકાર મન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મજૂરોને પડતી સમસ્યા, મજૂરોના હક અધિકાર અને મજૂરોને મળતા ફાયદાઓ વિસે માહિતી આપવામાં આવી હતી.
આ મિટિંગનું સમગ્ર આયોજન એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ અને મહેશભાઈ ચાવડાએ કર્યું હતું, જેમાં મહેમાનોમાં હાઈકોર્ટના એડવોકેટ અશોક સમ્રાટ, ડો. જ્યંતીભાઈ માકડીયા, CLRAમાંથી રોહિતભાઈ ચૌહાણ, સામાજિક અગ્રણી નાગજીભાઈ ચૌહાણ, એડવોકેટ દિનેશભાઈ વાઘેલા, એડવોકેટ કલ્પના ચાવડા, રમેશભાઈ રાઠોડ, પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન મહેશભાઈ લાધવા, રનિંગ તાલુકા પંચાયત સદસ્ય જ્યંતીભાઈ સારેસા, ઈંજીનીયર કલ્પેશ પરમાર, બહુજન યોદ્ધા મુકેશભાઈ પરમાર હાજર રહ્યા હતા, તેમજ બહોળી સંખ્યામાં મજૂરો અને કોન્ટ્રાક્ટરો હાજર રહ્યા હતા.
માળીયા મીંયાણામા પોતાના પિયર કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણા માલાણી શેરીમાં રહેતા મુસ્કાનબેન આસ્વાદભાઈ જામ (ઉ.વ.૨૨) નામની મહિલાએ કોઈ પણ કારણસર પોતાના પીયર હાજીભાઈના ઘરે ગળાફાંસો ખાઇ જતા મુસ્કાનબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા મીંયાણા પોલીસે મૃત્યુ...
મોરબીના સામાકાંઠે આવેલ બોધ્ધનગર શેરી નં -૪ મા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ બોધ્ધનગર શેરી નં -૪ મા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો કેશુભાઇ...