ટંકારા: તારીખ 28-29 માર્ચના દિવસે બે દિવસીય મિટિંગનું આયોજન ટંકારામાં ખજૂરા હોટેલમાં પશ્ચિમ ભારત મજુર અધિકાર મન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મજૂરોને પડતી સમસ્યા, મજૂરોના હક અધિકાર અને મજૂરોને મળતા ફાયદાઓ વિસે માહિતી આપવામાં આવી હતી.
આ મિટિંગનું સમગ્ર આયોજન એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ અને મહેશભાઈ ચાવડાએ કર્યું હતું, જેમાં મહેમાનોમાં હાઈકોર્ટના એડવોકેટ અશોક સમ્રાટ, ડો. જ્યંતીભાઈ માકડીયા, CLRAમાંથી રોહિતભાઈ ચૌહાણ, સામાજિક અગ્રણી નાગજીભાઈ ચૌહાણ, એડવોકેટ દિનેશભાઈ વાઘેલા, એડવોકેટ કલ્પના ચાવડા, રમેશભાઈ રાઠોડ, પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન મહેશભાઈ લાધવા, રનિંગ તાલુકા પંચાયત સદસ્ય જ્યંતીભાઈ સારેસા, ઈંજીનીયર કલ્પેશ પરમાર, બહુજન યોદ્ધા મુકેશભાઈ પરમાર હાજર રહ્યા હતા, તેમજ બહોળી સંખ્યામાં મજૂરો અને કોન્ટ્રાક્ટરો હાજર રહ્યા હતા.
મોરબીના ચકમપર થી જીકીયાળી રોડ પર કેટલાક માણસો દ્વારા રોડ પર ઉકરડા રૂપી દબાણ ખડકી દેવામાં આવ્યા હતા જે ચકમપર ગ્રામ પંચાયત દ્વારા દૂર કરી રોડ ખૂલ્લો કરાયો છે.
મોરબી તાલુકાના ચકમપર થી જીકીયાળી ગામ તરફ જવાના રોડ ઉપર અમુક દબાણો કરતા દ્વારા રોડ પર ઉકરડા કરવામાં આવ્યા હતા જેના...
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના રાજપર રોડ પર આવેલ જય દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તીરૂપતી પેપર નામે કારખાનામાં રૂમમાં રહેતા ભરતકુમાર હીરરામ પુરોહિત (ઉ.વ.૧૯) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે...
હળવદ શહેરમાં આવેલ સરા રોડ પર ઢવાણીયા દાદાની દેરી સામે નારાયણ પેરાજ ટ્રાન્સપોર્ટ પાસેથી આધેડનો છકડો રિક્ષા કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમા મોરબી દરવાજા ક્રુષ્ણનગરમા રહેતા અને ટ્રાન્સપોર્ટનુ કરતા દયારામભાઈ ભુદરભાઈ ચાવડા (ઉ.વ.૪૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ...