ટંકારા સહીત રાજ્યના VCE કર્મચારીઓ હડતાલ પર ઉતરતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેમકે ૭/૧૨ મેળવવામાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી કચેરીએ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળે છે જેના પગલે ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળે મહેસુલ મંત્રીને રજૂઆત કરી છે.
ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ મહેસુલમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે, હાલ રાજ્યમાં વીસીઈની હડતાલ ચાલે છે જેથી ખેડૂતોને ૭/૧૨ મેળવવામાં અવરોધ પેદા થાય છે. હાલ પાક ધિરાણની ફેરબદલીની મોસમ ચાલી રહી છે અને નેટ પ્રોબ્લેમ હોવાથી પ્રાઈવેટમાં પણ નીકળી સકતા નથી માટે ખેડૂતોને તકલીફનો સામનો કરવો પડે છે જેથી તાત્કાલિક ધોરણે ખેડૂતોના હિતમાં વ્યવસ્થા કરાય તેવી માંગ કરી છે.
અમદાવાદ: દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીની વચ્ચે જ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 23 મે 2026 ના રોજ આગળ વધીને અરબી સમુદ્ર, કોમોરિન પ્રદેશ, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના મોટાભાગના વિસ્તારોને આવરી ચૂક્યું છે.
આગામી 3-4 દિવસમાં ચોમાસું વધુ આગળ વધવા...
સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજ અંગે કરવામાં આવેલી એક વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે સમગ્ર ગુજરાતમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. કચ્છના માંડવીમાં આયોજિત ‘વૃંદાવન સેવા અમૃત મહોત્સવ’ દરમિયાન સ્વામીએ મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, “જો બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ...
જરાત સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને ઇંધણની બચત માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને ૧૧ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ, સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી કચેરીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે.
પરિપત્રની મુખ્ય...