ટંકારા : સમસ્ત હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામની જન્મ જયંતિ નિમિત્તે આખા ભારતવર્ષમાં ભવ્ય ઉજવણી સાથે અનેક કાર્યક્રમો ભજન કીર્તન કરવામાં આવતા હોય છે ત્યારે ટંકારામાં સમસ્ત હિન્દુ ધર્મના ગ્રામજનોએ એક નેજા હેઠળ એકઠા થઈને આવતીકાલ રવિવારે ભગવાન રામ જન્મોત્સવ ઉજવવા અંગે બેઠક યોજી હતી.શહેરને ધ્વજા પતાકાથી સજાવી અયોધ્યા નગરી જેવો માહોલ ઉભો કરાયો છે.આજે રાત્રે તમામ ઘરોમાં દિવડા પ્રગટાવી નોમની સવારે એટલે કે આવતીકાલ રવિવારે ઘરના આંગણે આસોપાલવ તોરણિયા બાંધી શોભાયાત્રામાં જોડાશે.શોભાયાત્રામાં જોડાનાર ભકત સમુદાય માટે ફળાહારની વ્યવસ્થા તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.
ટંકારામાં વર્ષો પછી સમસ્ત ગામ દ્વારા ભગવાન રામ જન્મોત્સવ ઉજવવામાં આવશે.ભગવાન રામનો જન્મદિવસ ચૈત્રી નોમના દિવસે હોય છે.રામ જન્મોત્સવ ઉજવવા ગત ગુરૂવારે રાત્રે શહેરના વાઘેશ્વરી મંદીરે નગરના તમામ હિંદુ સમાજના આગેવાનો અને કાર્યકરોની બેઠક મળી હતી.જેમા નગરમાં ઉત્સવ મનાવવાનુ નક્કી કરવામાં આવ્યું હતુ.સમગ્ર શહેરને ધ્વજા પતાકા લહેરાવી બજારો માર્ગો ઉપર રામ જન્મોત્સવ ઉજવવાના બેનરો લગાવી સુશોભિત કરવામાં આવતા અયોધ્યા નગરી જેવો માહોલ ઉભો કરી દેવાયો છે.બેઠકમાં રામના જયઘોષ સાથે શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવા અંગે અને ભૂતકાળમાં ક્યારેય ન ઉજવણી થઈ હોય એવી ઉજવણી કરવાનો એક સુર વ્યક્ત કરાયો હતો.
મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં બેગલેસ ડે અંતર્ગત બાલમેળો તેમજ લાઈફ સ્કિલ પ્રવૃત્તિઓ કરવામાં આવી
મોરબી: વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે જીવન કૌશલ્યનો જ્ઞાન મળે,વિદ્યાર્થીઓ મનગમતી પ્રવૃત્તિઓ કરી શકે, વિદ્યાર્થીઓ રહેલી સુષુપ્ત શક્તિઓનું પ્રકટીકરણ થાય, વિદ્યાર્થીઓમાં ભણતરનો ભાર ઓછો થાય એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યવસાયિક તાલીમ વોકેશનલ ટ્રેનિંગને મહત્વ આપવામાં આવ્યું...
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સૌ પ્રથમ પ્રાર્થના સભા- બાલસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ ગીતો, ભજનો, કવિતાઓ, જાણવા જેવુ વગેરે રજૂ કરેલ. ત્યારબાદ લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તે માટે શાળામાં બાલ સાંસદની રચના...
ટંકારા ખજુરા હોટલના પાર્કિંગમા થયેલ લુંટના ગુન્હાના વધું એક ઈસમને વાંકાનેર બાઉન્ટ્રી ખાતેથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. તેમજ આરોપીના નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા દિન ૦૭ ના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.
ગઇ તા.૨૧ મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઇ ભાલોડી રહે. રાજકોટ તથા તેઓના ડ્રાઈવર બન્ને રાજકોટ...