પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી વિષે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
માળીયા(મી.) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા દ્વારા ટી.બી વિષે જન જાગૃતિ અને ટીબી શંકાસ્પદ કેસ સર્વેલેન્સ કામગીરી કરવામાં આવી હતી.તેમજ ટીબી વિશે જન જાગૃતિ પત્રિકા વિતરણ કરવામાં આવી હતી.કોઈ વ્યક્તિમાં ટી.બી.ના લક્ષણ જણાય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંપર્ક કરી નિ:શુલ્ક સારવાર લેવા મેડિકલ ઓફિસરે લોકોને અપીલ કરી છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા પોતાના વિસ્તારનાં ગામોમાં ટીબી વિશે જન જાગૃતિ પત્રિકા વિતરણ અને શંકાસ્પદ ટી.બી કેસ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.જે.ટી.પટેલ માધ્યમિક હાઈસ્કૂલ મોટાભેલામાં ચિત્ર સ્પર્ધા થકી જન જાગૃતિ લાવવામાં આવી હતી.આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ટીબીની સેવાઓ માટેનુ 21 દિવસનું કેમ્પેઈન તા.24 માર્ચ થી 13 એપ્રીલ અંતર્ગત જનજાગૃતિ અને ટીબી શંકાસ્પદ કેસ સર્વેલન્સ કામગીરી ફિલ્ડ સ્ટાફ દ્વારા ચાલુ કરવામાં આવી છે.આ સાથે જન જાગૃતિ થાય એ માટે સ્કૂલમાં ચિત્ર સ્પર્ધા દ્વારા આરોગ્ય શિક્ષણ,સોશિયલ મીડિયા દ્વારા આરોગ્ય પ્રચાર પસાર કરવામાં આવ્યો.
મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાની પ્રામાણિક અને પારદર્શક કામગીરી બદલ શૈક્ષિક મહાસંઘ દ્વારા સન્માન
મોરબી જિલ્લાની જુદી જુદી પ્રાથમિક શાળાઓ કોરાના કારણે અન અધ્યયન હતી પણ વિદ્યાર્થીઓ ભણાવેલું ભૂલી ન જાય એ માટે કેટલાક ઉત્સાહી શિક્ષકો કોરોના કાળમાં ભણાવવા જેવી ભૂલ તેમજ કેઝ્યુઅલ રીપોર્ટ ન રાખવા જેવા ક્ષુલ્લક કારણોથી કેટલાય...
કાયદાનો ઉલ્લંઘન થતો જણાય તો મદદનીશ શ્રમ આયુક્તની કચેરીએ રૂબરૂ અથવા ૦૨૮૨૨ ૨૪૩૪૧૦ નંબર પર ફરિયાદ કરવી
બાળકો દેશની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે અને તેમને યોગ્ય શિક્ષણ, આરોગ્ય, સલામતી અને તેમનો સમગ્ર વિકાસએ સૌથી અગત્યની પ્રાથમિકતા છે. બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ ની જોગવાઈઓ જે ૧૪...
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે, મૂલ્ય શિક્ષણ માટે જાણીતી છે, વિદ્યાર્થીઓમાં સંસ્કારનું ઘડતર થાય એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે અને વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીનીઓનું સન્માન પણ કરવામાં આવે છે જેથી એમનો ઉત્સાહ જળવાઈ રહે અને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે.
આવું જ પ્રેરણા...